આજે મારી એક રચના..જે મારા નજીકના મીત્ર વર્તુળમાં ઘણી appreciate થઈ છે..એ બધા મીત્રોને નામ, 1996માં MBAના project work માટે હું દિલ્હી ગયો હતો ત્યારે રચાયેલી આ રચના..
શક્યતા ફળદ્રુપ વસ્તુ હોય છે, તારી તો ખાસ
લાગણી ભયજનક વસ્તુ હોય છે, મારી તો ખાસ
તારા વિચારો છે હાજરી ક્યાં તારી, તૂં હોય બધે લાગે છે તોય મને કોણ જાણે એવું
આવવાને દીધૂં છે ‘આગમન’નું નામ, ને ‘જવું’ નો શબ્દજ શબ્દકોષોમાં હોય ના તો કેવું?
યાદ કમોસમી વસ્તુ હોય છે, તારી તો ખાસ
ભીનાશ કાયમી વસ્તુ હોય છે, મારી તો ખાસ.
પ્રેમ આપણો સાવ છીછરો જ નો’તો, ને માપવાને એને ગજ પણ મળ્યા’તા ક્યાં
હતું મૂલ્ય મારું છો ઘણાય શૂન્યોમાં, હતી શોધ એક્ડાની, આવી મળ્યા તમે ત્યાં.
ઉપેક્ષા ધારદાર વસ્તુ હોય છે, તારી તો ખાસ
અપેક્ષા ધોધમાર વસ્તુ હોય છે, મારી તો ખાસ.
ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો....
શનિવાર, જુલાઈ 28, 2007
રવિવાર, જુલાઈ 22, 2007
આ માણસ બરાબર નથી...
શ્રી હિતેન આનંદપરાની એક ગઝલ પેશ કરું છું,
માણસની વાત છે...એવો માણસ જે હિસાબમાં બહુ ચીવટ રાખે છે..તમને થશે એ તો ઠીક છે, આવા તો ઘણા માણસો હોય છે..પણ આ જે માણસ છે એ પૈસાની સાથે સાથે સંબંધોમાં હિસાબ રાખે છે અને જો ક્યાંક ઓછું આવે તો દિલ ખોલીને ઝઘડી પણ લે છે કે છેલ્લે મળ્યા ત્યારે ફલાણા દોસ્ત સાથે 7.5 મિનિટ વાત કરી અને મારી સાથે ફક્ત 7.25 મિનિટ!!..આ તો થોડું વધારીને કહું છું, પણ દિલ પર હાથ મૂકીને કહેજો કે મેં કે તમે ક્યારેક તો આવું વર્તન કર્યું જ છે, એટલે કવિએ કુશળતાપૂર્વક એક માણસના નામે મારી તમારી જ વાત કરી છે...
લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી,
ગણે છે ને ઓછી પડે તો લડે છે,આ માણસ બરાબર નથી.
આપણે કેટલા materialistic થઈ ગયા છીએ એની વાત જુઓ...
સમી સાંજ દરિયાકિનારે જવું તોયે દરિયા તરફ પીઠ રાખી,
એ, લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.
સુંદર વસ્તુઓ જોવી ગમે સ્વાભવિક છે, પણ એ જોનારાની નજરમાં વિકૃતિ આવે ત્યારે,
સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની દૅષ્ટિમાં છે ફેર,
એ જોવાની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.
self centred માણસોની દરેક વાત એમના પોતાનાથી શરૂ થઈને એમની જ ઉપર પૂરી થાય,
ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથીયે છેટો રહે છે,
બસ પોતાના માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.
આવા માણસ પોતે ગમે તેટલા સુખી હોય પણ કોઇનું થોડું પણ સુખ એમનાથી સહન નથી થતુ...
વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો દયા ના બતાવો,
કારણ એ કાયમ ઈર્ષાથી બળે છે, આ માણસ બરાબર નથી.
પણ મોં ઉપર તો કાયમ હસી ને જ વાત કરશે,
જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.
માણસની વાત છે...એવો માણસ જે હિસાબમાં બહુ ચીવટ રાખે છે..તમને થશે એ તો ઠીક છે, આવા તો ઘણા માણસો હોય છે..પણ આ જે માણસ છે એ પૈસાની સાથે સાથે સંબંધોમાં હિસાબ રાખે છે અને જો ક્યાંક ઓછું આવે તો દિલ ખોલીને ઝઘડી પણ લે છે કે છેલ્લે મળ્યા ત્યારે ફલાણા દોસ્ત સાથે 7.5 મિનિટ વાત કરી અને મારી સાથે ફક્ત 7.25 મિનિટ!!..આ તો થોડું વધારીને કહું છું, પણ દિલ પર હાથ મૂકીને કહેજો કે મેં કે તમે ક્યારેક તો આવું વર્તન કર્યું જ છે, એટલે કવિએ કુશળતાપૂર્વક એક માણસના નામે મારી તમારી જ વાત કરી છે...
લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી,
ગણે છે ને ઓછી પડે તો લડે છે,આ માણસ બરાબર નથી.
આપણે કેટલા materialistic થઈ ગયા છીએ એની વાત જુઓ...
સમી સાંજ દરિયાકિનારે જવું તોયે દરિયા તરફ પીઠ રાખી,
એ, લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.
સુંદર વસ્તુઓ જોવી ગમે સ્વાભવિક છે, પણ એ જોનારાની નજરમાં વિકૃતિ આવે ત્યારે,
સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની દૅષ્ટિમાં છે ફેર,
એ જોવાની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.
self centred માણસોની દરેક વાત એમના પોતાનાથી શરૂ થઈને એમની જ ઉપર પૂરી થાય,
ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથીયે છેટો રહે છે,
બસ પોતાના માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.
આવા માણસ પોતે ગમે તેટલા સુખી હોય પણ કોઇનું થોડું પણ સુખ એમનાથી સહન નથી થતુ...
વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો દયા ના બતાવો,
કારણ એ કાયમ ઈર્ષાથી બળે છે, આ માણસ બરાબર નથી.
પણ મોં ઉપર તો કાયમ હસી ને જ વાત કરશે,
જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.
ગુરુવાર, જૂન 07, 2007
તો કહું!
અર્થોપાર્જન માટેની પ્રવ્રુત્તિ - in my case Project on which I am working right now - મને ઘણો busy રાખે છે એટલે આ postમાં delay થઈ..તે માટે sorry કહીને...આગળ વાત કરીએ તો...
આજે વાત કરવી છે ..અમદાવાદમાં મારા ઘરની નજીક રહેતા...હમણાં જ જેમને ગુજરાતી સાહિત્યના શિરમોર સમો રણજિતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો..અને જેમણે પોતાનુ મોટા ભાગનું સાહિત્ય સર્જન ગઝલ કાવ્ય પ્રકારમાં કર્યુ છે ...અને ગઝલ સર્જનમાં તત્વજ્ઞાનની એક નવી દિશા ઉઘાડી આપી છે..અને જ્યારે તમારી સામે ગઝલ પઠન કરતા હોય ત્યારે એવુ મહેસુસ થાય કે પુરાણ કાળના કોઈ ઋષિ તમારી સામે વેદ ઋચાઓ વાંચી રહ્યા છે...એ શ્રી રાજેન્દ્ર શુક્લની..
એમની આ બહુજ જાણીતી ગઝલના મત્લા - પ્રથમ શેરમાં એ વાત કરે communicationની....MBA કરતા હો તો આ વિષય પર તમારે જાડા થોથાઓનો અભ્યાસ કરવો પડે પણ આ આખા વિષયને એ એના મૂળથી પારખીને તમારી સામે શેરની બે પંક્તિમાં મૂકી આપે છે..તમે જ્યારે કોઈને કંઈ વાત કહેવા માંગો ત્યારે મગજમાં ઘણા વિચારો, વાતો ઘુમરાતી હોય છે..એમાંથી જીભ ઉપર અમુક શબ્દો જ આવે છે.. આ જે ગણત્રીન શબ્દો જીભ ઉપર આવ્યા અને સામેની વ્યક્તિને સંભળાવ્યા..એ એટલે communication..હવે વિચારો બહુ સારા હોય પણ જો વ્યવસ્થિત શબ્દોમાં ના મૂકી શકો તો that is poor communication!...તો વધારે પૂર્વ ભૂમિકાઓ બાંધ્યા કરતા..લો શેર જ જોઈ લો..
લ્યો કરૂં કોશીશ ને ફાવે તો કહું
શબ્દ જો એને સમાવે તો કહું
ઘણા લોકોને વાત કર્યા કરવાની ટેવ હોય છે..સામે વાળાની સાંભળવાની ઈચ્છા હોય કે નહિ..જ્યારે સામેની વ્યક્તિને વાત સાંભળવાની તૈયારી હોય અને તમે વાત કહો તો એ વાતની ચોક્ક્સ અસર થતી હોય છે..
કોઈને કહેવું નથી એવું નથી
સહેજ તૈયારી બતાવે તો કહું
હવે પછીનો શેર..કંઈ પણ કહ્યા વગર સીધો સમજાઈ જાય એવો..
હું કદી ઊંચા સ્વરે બોલું નહીં
એકદમ નજદીક આવે તો કહું
આ શેરમાં કવિનું તત્વજ્ઞાન જુઓ..મન જ્યારે સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં હોય ત્યારે કંઈ કહેવાની કે સાંભળવાની ઈચ્છા જ હોતી નથી..એ શાંત જળ જેવું હોય છે..
શાંત જળમાં એક પણ લહેરી નથી
કોઈ થોડું ખળભળાવે તો કહું
અને છેલ્લે તત્વજ્ઞાની કવિનો રોમેન્ટિક શેર...એમાં પણ એ communicationને નવી ઉંચાઈ પર લઈ જાય છે..સામાન્ય રીતે સંવાદમાં શબ્દની જરૂર પડે..પણ જ્યારે ખાસ વ્યક્તિની વાત હોય જેની સાથે શબ્દોના સંવાદનું stage પસાર થઈ ગયું છે.. પછી તો નજરથી જ સંવાદ થતો હોય છે..
આપની નજરો જે ફરમાવી રહી
એ ગઝલ જો યાદ આવે તો કહું
આજે વાત કરવી છે ..અમદાવાદમાં મારા ઘરની નજીક રહેતા...હમણાં જ જેમને ગુજરાતી સાહિત્યના શિરમોર સમો રણજિતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો..અને જેમણે પોતાનુ મોટા ભાગનું સાહિત્ય સર્જન ગઝલ કાવ્ય પ્રકારમાં કર્યુ છે ...અને ગઝલ સર્જનમાં તત્વજ્ઞાનની એક નવી દિશા ઉઘાડી આપી છે..અને જ્યારે તમારી સામે ગઝલ પઠન કરતા હોય ત્યારે એવુ મહેસુસ થાય કે પુરાણ કાળના કોઈ ઋષિ તમારી સામે વેદ ઋચાઓ વાંચી રહ્યા છે...એ શ્રી રાજેન્દ્ર શુક્લની..
એમની આ બહુજ જાણીતી ગઝલના મત્લા - પ્રથમ શેરમાં એ વાત કરે communicationની....MBA કરતા હો તો આ વિષય પર તમારે જાડા થોથાઓનો અભ્યાસ કરવો પડે પણ આ આખા વિષયને એ એના મૂળથી પારખીને તમારી સામે શેરની બે પંક્તિમાં મૂકી આપે છે..તમે જ્યારે કોઈને કંઈ વાત કહેવા માંગો ત્યારે મગજમાં ઘણા વિચારો, વાતો ઘુમરાતી હોય છે..એમાંથી જીભ ઉપર અમુક શબ્દો જ આવે છે.. આ જે ગણત્રીન શબ્દો જીભ ઉપર આવ્યા અને સામેની વ્યક્તિને સંભળાવ્યા..એ એટલે communication..હવે વિચારો બહુ સારા હોય પણ જો વ્યવસ્થિત શબ્દોમાં ના મૂકી શકો તો that is poor communication!...તો વધારે પૂર્વ ભૂમિકાઓ બાંધ્યા કરતા..લો શેર જ જોઈ લો..
લ્યો કરૂં કોશીશ ને ફાવે તો કહું
શબ્દ જો એને સમાવે તો કહું
ઘણા લોકોને વાત કર્યા કરવાની ટેવ હોય છે..સામે વાળાની સાંભળવાની ઈચ્છા હોય કે નહિ..જ્યારે સામેની વ્યક્તિને વાત સાંભળવાની તૈયારી હોય અને તમે વાત કહો તો એ વાતની ચોક્ક્સ અસર થતી હોય છે..
કોઈને કહેવું નથી એવું નથી
સહેજ તૈયારી બતાવે તો કહું
હવે પછીનો શેર..કંઈ પણ કહ્યા વગર સીધો સમજાઈ જાય એવો..
હું કદી ઊંચા સ્વરે બોલું નહીં
એકદમ નજદીક આવે તો કહું
આ શેરમાં કવિનું તત્વજ્ઞાન જુઓ..મન જ્યારે સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં હોય ત્યારે કંઈ કહેવાની કે સાંભળવાની ઈચ્છા જ હોતી નથી..એ શાંત જળ જેવું હોય છે..
શાંત જળમાં એક પણ લહેરી નથી
કોઈ થોડું ખળભળાવે તો કહું
અને છેલ્લે તત્વજ્ઞાની કવિનો રોમેન્ટિક શેર...એમાં પણ એ communicationને નવી ઉંચાઈ પર લઈ જાય છે..સામાન્ય રીતે સંવાદમાં શબ્દની જરૂર પડે..પણ જ્યારે ખાસ વ્યક્તિની વાત હોય જેની સાથે શબ્દોના સંવાદનું stage પસાર થઈ ગયું છે.. પછી તો નજરથી જ સંવાદ થતો હોય છે..
આપની નજરો જે ફરમાવી રહી
એ ગઝલ જો યાદ આવે તો કહું
શનિવાર, મે 12, 2007
ગઝલ મનોરંજન
થોડી જુની post તપાસો તો માલૂમ થશે કે મેં શ્રી મનોજ ખંડેરિયાની ગઝલના રસાસ્વાદ વખતે એમની બીજી એક ગઝલ જેમાં ગઝલ એ શાયર માટે શું મહત્વ ધરાવે છે એની વાત ફરી ક્યારેક કરવાની મે વાત કરી હતી..અને આજે કદાચ એ 'ફરી ક્યારેક' થઈ લાગે છે..
શ્રી મનોજ ખંડેરિયા ગઝલમાં ગમે તેવી સખત વાત પણ નમણી રીતે મૂકી આપવાની વીશેષતા વીશે વાત કરી હતી. શ્રી ચીનુ મોદી આ જ વાત માટે એમ કહે છે કે, ગઝલમાં કુમાશ લાવવી એ તોપના નાળચામાં ફૂલ ઉગાડવા જેવી વાત છે અને મનોજે એ સિધ્ધ કરી એ એનુ ગુજરાતી કવિતા પર કાયમ એક ઋણ રહેશે...
એમની ગઝલ માણીએ,
આપણે પૃથ્વી ઉપર આવી જઈ, શ્વાસો લઈ, વર્ષો સુધી રહી અને પછી શ્વાસ લેવાના બંધ કરીએ છે...આ સમય જે પૃથ્વી ઉપર પસાર કરીએ એને 'જીવવું' કહીએ છે પણ..
પૂછ એને કે જે શતાયુ છે
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે
હવે પછીનો અદભૂત શેર...વાંચી અને સમજાય ત્યારે એક હૃદયપૂર્વકની દાદ ના આપી જવાય તો જ નવાઈ...આપણું શરીર (દેશ) અને આપણા આત્મા વચ્ચે એક ખેંચતાણ ચાલતી હોય છે, જ્યારે આત્માના અવાજને અનુસરો ત્યારે, આગલા શેરના અનુસંધાનમાં વાત કરીએ તો , તમે ખરેખર 'જીવો' છો..બાકી તો અહીં સમય જ પસાર કરો છો..તો આ શેરમાં શરીર અને આત્માની ખેંચતાણ, લડાઈની analogy શેની સાથે કરે છે એ તો જુઓ..
આપણો દેશ છે દશાનન નો,
આપણો માંહ્યલો જટાયુ છે
મરદ માણસ આંખમાંથી પાણી ના પડવા દે એવું કહેવાય છે અને અત્યારના સમયના psychologists અને બીજા વિદ્વાન માણસો લાગણીને પ્રદર્શિત કરવાથી માનસિક બોજો ઓછો રહે છે અને જે પોતાની લાગણીઓ જાહેરમાં બતાવી શકે એ સાચો મરદ એમ પણ કહે છે....પણ આ શાયર હવે પછીના શેરમાં કોઈ બીજા જ કારણોસર આંસુને સાચવવાનુ કહીને શેરની શેરિયત સિધ્ધ કરે છે..
આંખમાં કીકી જેમ સાચવ તું
દોસ્ત આંસુ ક્યાં ઓરમાયું છે
અને છેલ્લો શેર...તમને લાંબા સમય માટે વિચરતા કરી દે કે..જીવનમાં કોઈ વસ્તુ કે શોખ જીવ જેમ વ્હાલા હોય તો એમાંથી મનોરંજન મળે એ 'stage' સુધી નહિ પણ એ વસ્તુ તમારે માટે શ્વાસનો પર્યાય બની જાય એટલી હદે એને ચાહવી પડે અને આ શેર વાંચ્યા પછી ચોક્ક્સ એમ લાગે કે શ્રી મનોજ ખંડેરિયા માટે ગઝલ ફક્ત મનોરંજન ન હતી ..
તારે માટે ગઝલ મનોરંજન
મારે માટે તો પ્રાણવાયુ છે
શ્રી મનોજ ખંડેરિયા ગઝલમાં ગમે તેવી સખત વાત પણ નમણી રીતે મૂકી આપવાની વીશેષતા વીશે વાત કરી હતી. શ્રી ચીનુ મોદી આ જ વાત માટે એમ કહે છે કે, ગઝલમાં કુમાશ લાવવી એ તોપના નાળચામાં ફૂલ ઉગાડવા જેવી વાત છે અને મનોજે એ સિધ્ધ કરી એ એનુ ગુજરાતી કવિતા પર કાયમ એક ઋણ રહેશે...
એમની ગઝલ માણીએ,
આપણે પૃથ્વી ઉપર આવી જઈ, શ્વાસો લઈ, વર્ષો સુધી રહી અને પછી શ્વાસ લેવાના બંધ કરીએ છે...આ સમય જે પૃથ્વી ઉપર પસાર કરીએ એને 'જીવવું' કહીએ છે પણ..
પૂછ એને કે જે શતાયુ છે
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે
હવે પછીનો અદભૂત શેર...વાંચી અને સમજાય ત્યારે એક હૃદયપૂર્વકની દાદ ના આપી જવાય તો જ નવાઈ...આપણું શરીર (દેશ) અને આપણા આત્મા વચ્ચે એક ખેંચતાણ ચાલતી હોય છે, જ્યારે આત્માના અવાજને અનુસરો ત્યારે, આગલા શેરના અનુસંધાનમાં વાત કરીએ તો , તમે ખરેખર 'જીવો' છો..બાકી તો અહીં સમય જ પસાર કરો છો..તો આ શેરમાં શરીર અને આત્માની ખેંચતાણ, લડાઈની analogy શેની સાથે કરે છે એ તો જુઓ..
આપણો દેશ છે દશાનન નો,
આપણો માંહ્યલો જટાયુ છે
મરદ માણસ આંખમાંથી પાણી ના પડવા દે એવું કહેવાય છે અને અત્યારના સમયના psychologists અને બીજા વિદ્વાન માણસો લાગણીને પ્રદર્શિત કરવાથી માનસિક બોજો ઓછો રહે છે અને જે પોતાની લાગણીઓ જાહેરમાં બતાવી શકે એ સાચો મરદ એમ પણ કહે છે....પણ આ શાયર હવે પછીના શેરમાં કોઈ બીજા જ કારણોસર આંસુને સાચવવાનુ કહીને શેરની શેરિયત સિધ્ધ કરે છે..
આંખમાં કીકી જેમ સાચવ તું
દોસ્ત આંસુ ક્યાં ઓરમાયું છે
અને છેલ્લો શેર...તમને લાંબા સમય માટે વિચરતા કરી દે કે..જીવનમાં કોઈ વસ્તુ કે શોખ જીવ જેમ વ્હાલા હોય તો એમાંથી મનોરંજન મળે એ 'stage' સુધી નહિ પણ એ વસ્તુ તમારે માટે શ્વાસનો પર્યાય બની જાય એટલી હદે એને ચાહવી પડે અને આ શેર વાંચ્યા પછી ચોક્ક્સ એમ લાગે કે શ્રી મનોજ ખંડેરિયા માટે ગઝલ ફક્ત મનોરંજન ન હતી ..
તારે માટે ગઝલ મનોરંજન
મારે માટે તો પ્રાણવાયુ છે
રવિવાર, એપ્રિલ 29, 2007
રમતથી જે ડરે છે...
આજે વાત કરવી છે શિકાગોમાં ઠરી ઠામ થયેલા પણ મૂળ જામનગર મેડિકલ કોલેજના વિદ્યાર્થી અને શિકાગોના સંપૂર્ણ પ્રદેશમાં મિત્રોની મદદ લઈને 'શિકાગો આર્ટ સર્કલ' દ્વારા ગુજરાતી સહિત્ય અને કલાની વિવિધ એક્ટિવીટીમાં પ્રવ્રુત્ત છે અને ગુજરાતી કવિતાને ત્યાં ધબકતી રાખી છે એ અને એ બધાથી વિશેષ તો એક મૂઠ્ઠી ઊંચેરા કવિ જેમની કવિતામાંનુ તત્વજ્ઞાન જોઇ બહુ સહેલાઈથી તમને શ્રી રાજેન્દ્ર શુક્લ યાદ આવે, એવા શ્રી અશરફ ડબાવાલાની ...
એમનો અંદાઝે-બયાં તો જુઓ...
જો આપ તો શબ્દોમાં મને કોઇ છટા દે,
નહિતર તું મને મૌનમાં મોકાની જગા દે.
એમની એક સુંદર ગઝલ માણીએ..
વિલ-ડુરાં કહેતા કે આપણે જે દિવસે રમતના મેદાનમાં રમવાનું છોડીને બાજુમાં બેસીને તાલીઓ પાડવા માંડીશુ તે દિવસે આપણે જિંદગીની રમત હારી જઈશું..વાત છે કોઈ પણ મુશ્કેલ પરિસ્થીતિ સામે લડવાની - એમાં રમવાની - પીઠ બતાવવાની નહિ.. આ જ વાતને કેન્દ્રમાં રાખીને કવિ આપણને એક નિર્દોષ સવાલ પૂછે છે, જેનો અર્થ સમજાય ત્યારે આપણે અંદરથી હચમચી જઈએ..
રમતથી જે ડરે છે એના ભયના કેન્દ્રમાં શું છે?
રમતમાં જીતનારાના વિજયના કેન્દ્રમાં શું છે?
આપણી આસપાસ ચોમેરના અવાજો, અવાજો, અવાજો અને અવાજો આપણી અંદરની શાંતીને ખળભળાવી નાખે ત્યારે ?
અવાજો નાદ ને શબ્દો બધાથી થઈ ગયા માયૂસ;
હવે તો મૌનને પૂછો કે લયના કેન્દ્રમાં શું છે?
કોઈ વખત વાત કહેવાઈ પણ ના હોય અને એવી વાત હોય કે એ કહેતા જીભ ઉપર મણ મણનું વજન અનુભવાતુ હોય ત્યારે સાંભળનારને એ સંકોચ, હિચકિચાહટ જ ઘણુ બધુ કહી જતો હોય છે...
બિચારી વાત તો જીભે જ આવીને ઠરી ગઈ'તી;
અને સૌ જાણવા માંડ્યા વિષયના કેન્દ્રમાં શું છે?
દિવસ રાત ધબક્યા કરીને જે લોહીને શુધ્ધ રાખે છે એ હ્રદય અને સતત આવન-જાવન કરીને શરીરને ચાલતું રાખનાર શ્વાસોની આપણને બહુ કિંમત નથી હોતી જ્યાં સુધી બધુ બરાબર ચલે ત્યાં સુધી...
ધબકતું લોહી ને શ્વાસો ઢળીને સાંજ થાશે, ને -
તને તરત જ ખબર પડશે હ્રદયના કેન્દ્રમાં શું છે?
સુરજ ઢળે ત્યારે જો આપણે જાગતા હોઈએ તો આપણને ખ્યાલ આવે છે એના અસ્તનો...પણ હજુ આપણી બુધ્ધી પાસે સૌર્ય મંડળની હયાતી, એના સંચાલન - સુરજનું ઉગવુ આથમવુ, બ્રહ્માંડ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યુ એના માટે 'બિગ બેંગ' જેવી અપૂર્ણ થિયરી સિવાય કોઈ સજ્જડ જવાબો નથી, એના માટે તો હજુ સ્વપ્ન જેવી અવસ્થા જેમાં આપણું 2/3 અજ્ઞાત મન સહુથી વધુ જાગ્રુત હોય છે એના પર જ આધાર રાખવો પડે! હવે આ વાતને બે પંક્તિમાં મૂકવા માટે તમારે મોટા ગજાના કવિ અને એથી મોટા ગજાના વિચારક હોવું ઘટે...
ભલેને અસ્ત સૂરજનો તને આંખો જ સમજાવે;
તને સપનું જ કે'શે કે ઉદયના કેન્દ્રમાં શું છે?
અને બે છેલ્લા મને સૌથી ગમતા શેર..
બે માણસો ભેગા થાય જિંદગીભર જીવવા માટે..પતિ-પત્ની તરીકે..તો એક્બીજાની સામસામે કે સાથસાથે ઉભા રહીને એકબીજા સમજવાનો પ્રયત્ન કરવા કરતા એકબીજા તરફ પીઠ રાખીને એમના સંસારના વર્તુળના પરિઘ જેવા વિશ્વ માટે જીવે છે..લોકોને કેવું લાગશે? પણ બાજુમાં જ સાથે કેન્દ્રમાં ઉભેલા જોડીદારનું શું??
અહીં બે માણસો જીવે બનાવી વિશ્વને વર્તુળ;
પરંતુ બેઉના જાણે ઉભયના કેન્દ્રમાં શું છે?
આપણા દરેક માટે રોજ-બરોજની સમસ્યાઓ અને એનો ઉકેલ એ દ્રોણે અર્જુનને આપેલ ચકલીની આંખ વિંધવાની કસોટી જેવી છે.. અને આ સમસ્યાઓથી થાકીને જો વિષાદ ઉતપન્ન થાય કે આ સઘળું વ્યર્થ છે તો એની પાસે તો દ્રોણ હતા..સમસ્યાનો ઉકેલ સમજાવવા..પણ મારા તમારા જેવા દ્રોણ વગરના અર્જૂનોનું શું?
મને આ ઝાડ, ચકલી, વ્યોમ સઘળું વ્યર્થ લાગે છે;
મને હે દ્રોણ! સમજાવો સમયના કેન્દ્રમાં શું છે?
એમનો અંદાઝે-બયાં તો જુઓ...
જો આપ તો શબ્દોમાં મને કોઇ છટા દે,
નહિતર તું મને મૌનમાં મોકાની જગા દે.
એમની એક સુંદર ગઝલ માણીએ..
વિલ-ડુરાં કહેતા કે આપણે જે દિવસે રમતના મેદાનમાં રમવાનું છોડીને બાજુમાં બેસીને તાલીઓ પાડવા માંડીશુ તે દિવસે આપણે જિંદગીની રમત હારી જઈશું..વાત છે કોઈ પણ મુશ્કેલ પરિસ્થીતિ સામે લડવાની - એમાં રમવાની - પીઠ બતાવવાની નહિ.. આ જ વાતને કેન્દ્રમાં રાખીને કવિ આપણને એક નિર્દોષ સવાલ પૂછે છે, જેનો અર્થ સમજાય ત્યારે આપણે અંદરથી હચમચી જઈએ..
રમતથી જે ડરે છે એના ભયના કેન્દ્રમાં શું છે?
રમતમાં જીતનારાના વિજયના કેન્દ્રમાં શું છે?
આપણી આસપાસ ચોમેરના અવાજો, અવાજો, અવાજો અને અવાજો આપણી અંદરની શાંતીને ખળભળાવી નાખે ત્યારે ?
અવાજો નાદ ને શબ્દો બધાથી થઈ ગયા માયૂસ;
હવે તો મૌનને પૂછો કે લયના કેન્દ્રમાં શું છે?
કોઈ વખત વાત કહેવાઈ પણ ના હોય અને એવી વાત હોય કે એ કહેતા જીભ ઉપર મણ મણનું વજન અનુભવાતુ હોય ત્યારે સાંભળનારને એ સંકોચ, હિચકિચાહટ જ ઘણુ બધુ કહી જતો હોય છે...
બિચારી વાત તો જીભે જ આવીને ઠરી ગઈ'તી;
અને સૌ જાણવા માંડ્યા વિષયના કેન્દ્રમાં શું છે?
દિવસ રાત ધબક્યા કરીને જે લોહીને શુધ્ધ રાખે છે એ હ્રદય અને સતત આવન-જાવન કરીને શરીરને ચાલતું રાખનાર શ્વાસોની આપણને બહુ કિંમત નથી હોતી જ્યાં સુધી બધુ બરાબર ચલે ત્યાં સુધી...
ધબકતું લોહી ને શ્વાસો ઢળીને સાંજ થાશે, ને -
તને તરત જ ખબર પડશે હ્રદયના કેન્દ્રમાં શું છે?
સુરજ ઢળે ત્યારે જો આપણે જાગતા હોઈએ તો આપણને ખ્યાલ આવે છે એના અસ્તનો...પણ હજુ આપણી બુધ્ધી પાસે સૌર્ય મંડળની હયાતી, એના સંચાલન - સુરજનું ઉગવુ આથમવુ, બ્રહ્માંડ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યુ એના માટે 'બિગ બેંગ' જેવી અપૂર્ણ થિયરી સિવાય કોઈ સજ્જડ જવાબો નથી, એના માટે તો હજુ સ્વપ્ન જેવી અવસ્થા જેમાં આપણું 2/3 અજ્ઞાત મન સહુથી વધુ જાગ્રુત હોય છે એના પર જ આધાર રાખવો પડે! હવે આ વાતને બે પંક્તિમાં મૂકવા માટે તમારે મોટા ગજાના કવિ અને એથી મોટા ગજાના વિચારક હોવું ઘટે...
ભલેને અસ્ત સૂરજનો તને આંખો જ સમજાવે;
તને સપનું જ કે'શે કે ઉદયના કેન્દ્રમાં શું છે?
અને બે છેલ્લા મને સૌથી ગમતા શેર..
બે માણસો ભેગા થાય જિંદગીભર જીવવા માટે..પતિ-પત્ની તરીકે..તો એક્બીજાની સામસામે કે સાથસાથે ઉભા રહીને એકબીજા સમજવાનો પ્રયત્ન કરવા કરતા એકબીજા તરફ પીઠ રાખીને એમના સંસારના વર્તુળના પરિઘ જેવા વિશ્વ માટે જીવે છે..લોકોને કેવું લાગશે? પણ બાજુમાં જ સાથે કેન્દ્રમાં ઉભેલા જોડીદારનું શું??
અહીં બે માણસો જીવે બનાવી વિશ્વને વર્તુળ;
પરંતુ બેઉના જાણે ઉભયના કેન્દ્રમાં શું છે?
આપણા દરેક માટે રોજ-બરોજની સમસ્યાઓ અને એનો ઉકેલ એ દ્રોણે અર્જુનને આપેલ ચકલીની આંખ વિંધવાની કસોટી જેવી છે.. અને આ સમસ્યાઓથી થાકીને જો વિષાદ ઉતપન્ન થાય કે આ સઘળું વ્યર્થ છે તો એની પાસે તો દ્રોણ હતા..સમસ્યાનો ઉકેલ સમજાવવા..પણ મારા તમારા જેવા દ્રોણ વગરના અર્જૂનોનું શું?
મને આ ઝાડ, ચકલી, વ્યોમ સઘળું વ્યર્થ લાગે છે;
મને હે દ્રોણ! સમજાવો સમયના કેન્દ્રમાં શું છે?
શનિવાર, એપ્રિલ 21, 2007
તો?
શ્રી ચીનુ મોદી એટલે ગુજરાતી કવિતાનો આજનો જાજરમાન અને દબદબાભર્યો પડાવ અને એમના શેરનો મિજાજ તો જુઓ..
ધાર કે વેચાય છે સામી દુકાને સ્વર્ગ પણ,
કોણ ઓળંગે સડક એ ધારણાના નામ પર
એમની એક અભૂતપૂર્વ ગઝલ આજે માણીએ..
આપણા આજના યુગની ખુશનસીબી છે કે સગવડો તીર ઝડપે વધી છે અને સાથે જ એ બદનસીબી છે કે ચિંતાઓ એથી પણ વધુ ઝડપે વધી છે..યુવાન હોય અને વડિલોની આમન્યા રાખતો હોય અને મિત્રોની સોબતમાં એક-બે વ્યસન પાળ્યા હોય એને ચિંતા હોય છે શ્વાસની દુર્ગંધની પકડાઈ જવાની..અને એ જ યુવાનીને જો વિજાતિય આકર્ષણ થયું હોય અથવા કોઈ મિડ-લાઈફ ક્રાઈસિસ વાળા જણે જો લગ્ન બહારનું સાહસ કર્યું હોય તો બીક હોય છે ચર્ચાઈ જવાની..
શ્વાસમાં છલકાય છાની ગંધ તો,
ને બધે ચર્ચાય આ સંબંધ તો?
હવેના શેરની વાત જુઓ..કોઈ તમને એક પંક્તિ સંભળાવે જેમાં મોરનો ટહુકો એના કંઠમાંથી નિકળવાની વાત હોય.તમે વિચાર્યા કરો કે કવિ બીજી પંક્તિમાં આ ટહુકાનું શું કરશે? પણ સાથે સાથે એક આડવાત..કે આપણે આપણા હાથે જ આપણા યુગને એવી દિશામાં લઈ જઈ રહ્યા છીએ જેમાં મોરનો ટહુકો કોઈ વાસ્તવિક નહિ પણ પરિકથામાં આવતી વાત લાગે!
કંઠથી છટક્યો ટહુકો મોરનો,
ડાળ પરથી જો મળે અકબંધ તો?
મને-તમને કોઈ આંસુની વાત કરે અથવા આંખમાં આંસુ આવે તો આપણો હાથ આંસુ લૂછવા માટે આંખ તરફ જાય કે વિચારો આંસુ પાછળના સુખ અથવા દુ:ખ તરફ જાય..પણ આ કવિ આટલી નાની બહેરના(ટૂંકી પંક્તિના) શેરના બીજી પંક્તિમાં વાતને કેટલી ઉંચી કક્ષા પર લઈ જાય છે..
આંખમાંથી આંસુઓ લૂછો નહીં,
તૂટશે પે...લો ઋણાનુબંધ તો?
અને છેલ્લો શેર..જે વાત ચીનુ મોદી જ કરી શકે..
આપણે સમય સાથે હંમેશા સમય પસાર કરીએ છીએ પણ કોઈ વાર એની સાથે છેડછાડ કરતા નથી..ઊંડા ઉતરતા નથી એમાં..કેમ? આપણે હકિકતમાં કોઈ પણ વસ્તુમાં ઉંડાણમાં જતા નથી..કારણ આપણને બીક છે કે એ ઉંડાણમાં આપણે ખોવાઈ જઈશું તો? એ ખુદથી લાગતી બીક પણ આપણે પ્રામાણિકતાથી સ્વિકારી શકતા નથી અને પોતાનાથી નહિ પણ કોઈ બીજુ આપણને સમયમાં બંધ કરી દેશે કે પેલા ઊંડાણમાં પૂરી દેશે તો?
હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને
કોક દરવાજો કરી દે બંધ તો?
ધાર કે વેચાય છે સામી દુકાને સ્વર્ગ પણ,
કોણ ઓળંગે સડક એ ધારણાના નામ પર
એમની એક અભૂતપૂર્વ ગઝલ આજે માણીએ..
આપણા આજના યુગની ખુશનસીબી છે કે સગવડો તીર ઝડપે વધી છે અને સાથે જ એ બદનસીબી છે કે ચિંતાઓ એથી પણ વધુ ઝડપે વધી છે..યુવાન હોય અને વડિલોની આમન્યા રાખતો હોય અને મિત્રોની સોબતમાં એક-બે વ્યસન પાળ્યા હોય એને ચિંતા હોય છે શ્વાસની દુર્ગંધની પકડાઈ જવાની..અને એ જ યુવાનીને જો વિજાતિય આકર્ષણ થયું હોય અથવા કોઈ મિડ-લાઈફ ક્રાઈસિસ વાળા જણે જો લગ્ન બહારનું સાહસ કર્યું હોય તો બીક હોય છે ચર્ચાઈ જવાની..
શ્વાસમાં છલકાય છાની ગંધ તો,
ને બધે ચર્ચાય આ સંબંધ તો?
હવેના શેરની વાત જુઓ..કોઈ તમને એક પંક્તિ સંભળાવે જેમાં મોરનો ટહુકો એના કંઠમાંથી નિકળવાની વાત હોય.તમે વિચાર્યા કરો કે કવિ બીજી પંક્તિમાં આ ટહુકાનું શું કરશે? પણ સાથે સાથે એક આડવાત..કે આપણે આપણા હાથે જ આપણા યુગને એવી દિશામાં લઈ જઈ રહ્યા છીએ જેમાં મોરનો ટહુકો કોઈ વાસ્તવિક નહિ પણ પરિકથામાં આવતી વાત લાગે!
કંઠથી છટક્યો ટહુકો મોરનો,
ડાળ પરથી જો મળે અકબંધ તો?
મને-તમને કોઈ આંસુની વાત કરે અથવા આંખમાં આંસુ આવે તો આપણો હાથ આંસુ લૂછવા માટે આંખ તરફ જાય કે વિચારો આંસુ પાછળના સુખ અથવા દુ:ખ તરફ જાય..પણ આ કવિ આટલી નાની બહેરના(ટૂંકી પંક્તિના) શેરના બીજી પંક્તિમાં વાતને કેટલી ઉંચી કક્ષા પર લઈ જાય છે..
આંખમાંથી આંસુઓ લૂછો નહીં,
તૂટશે પે...લો ઋણાનુબંધ તો?
અને છેલ્લો શેર..જે વાત ચીનુ મોદી જ કરી શકે..
આપણે સમય સાથે હંમેશા સમય પસાર કરીએ છીએ પણ કોઈ વાર એની સાથે છેડછાડ કરતા નથી..ઊંડા ઉતરતા નથી એમાં..કેમ? આપણે હકિકતમાં કોઈ પણ વસ્તુમાં ઉંડાણમાં જતા નથી..કારણ આપણને બીક છે કે એ ઉંડાણમાં આપણે ખોવાઈ જઈશું તો? એ ખુદથી લાગતી બીક પણ આપણે પ્રામાણિકતાથી સ્વિકારી શકતા નથી અને પોતાનાથી નહિ પણ કોઈ બીજુ આપણને સમયમાં બંધ કરી દેશે કે પેલા ઊંડાણમાં પૂરી દેશે તો?
હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને
કોક દરવાજો કરી દે બંધ તો?
રવિવાર, માર્ચ 25, 2007
સાલું લાગી આવે
શ્રી મુકેશ જોશી એટલે શ્રી સુરેશ દલાલના શબ્દો માં ગુજરાતી ભાષાની ઉજ્જળ આવતી કાલનું અજવાળુ...
ગુજરાતી ગઝલ એના પ્રારંભિક તબક્કામાં ઉર્દુ શબ્દોથી છવાયેલી હતી પણ ધીમે ધીમે શયદા સાહેબના સમયમાં શુધ્ધ ગુજરાતીમાં લખાવા લાગી જેમકે શયદા સાહેબનો જ ઈશ્વર હોવાની તરફેણમાં લખાયેલો આ શેર,
હાથમાં લઈને જરા શ્રીફળ વિચાર,
કોણ ત્યાં જઈને ભરે છે જળ વિચાર
પછી તો ઘણા માતબર નામોએ ગુજરાતી ગઝલમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું. એક નવી તરહનો પડાવ પણ આવ્યો શ્રી નયન દેસાઈ..જે આ રીતના શેર આપે કે,
જીવ્યાનું જોયા હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો, મુકામ પોસ્ટ માણસ
ભીંતોને પડછાયા સારા છે સૂરજ ઊગ્યાનું લખી દો, મુકામ પોસ્ટ માણસ
આ વાત એટલા માટે કરી કે અત્યારે જે ગઝલનો રસાસ્વાદ કરવાના છીએ તે એટલે કે આજની ગુજરાતી ગઝલ...અત્યારની બોલચાલની ભાષા, હું-તમે રોજિંદા વ્યવહારમાં વાપરીએ તે ભાષામાં જ પણ તો પણ વિચારની એક નવી સૃષ્ટીમાં લઈ જાય એવી વાત લઈને આવે છે..વાતમાં વધુ મોણ નાખ્યા વગર સીધા ગઝલ માણીએ..
મત્લાનો શેર જુઓ.. ઝાડ જે એનાં પાંદડાને લીધે ભર્યું ભર્યું છે..એને જ્યારે પાનખર બેસે ત્યારે પાન વગરના ઝાડને જોઈને શું થાય? સાલું લાગી આવે..અને જંગલ જેની પ્રક્રુતિ એકાંતપ્રિય છે, ત્યાં માણસ પહોંચે..પિકનિક કરવા અને જંગલના વ્હાલકડા એકાંતને ખળભળાવે તો શું થાય? સાલું લાગી આવે..
પાનખરોમાં પાન ખરેને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે
કોઈ માણસને તમે વર્ષોથી જોતા હો, કોઈ ધ્યેય પામવા માટે..અને એમ જ લાગતું હોય કે ગમે ત્યારે એ મંઝિલ મેળવી લેશે..અને તમને ખબર પડે કે કોઈ સંજોગોવશાત કે મનવશાત એનુ ધ્યાન ભંગ થયુ અને એ ધ્યેય માટે હવે એ મહેનત નથી કરતો તો?
વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઈ ખાઈ ને ઊંડી ખીણો,
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે
હવે પછીના શેરને માટે કંઈ લખવા જેવું નથી...
સામેની ફૂટપાથ ઉપર સૂતાં હો બાળક ભૂખ્યા પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળેને, ત્યારે સાલું લાગી આવે
અને ગઝલનો છેલ્લો શેર..જાને ગઝલ શેર..
તમારે કોઈ સાથે દુશ્મની હોય વર્ષોથી અને નાની લડાઈઓથી તમે કંટાળ્યા હો અને એક વાર નક્કી કરો કે આ પાર કે પેલે પારની એક આખરી લડાઈ કરી લઈએ..અને તમે બધ્ધી તૈયારીઓ કરો અને પછી દુશ્મનને પડકારી લાવો સમરાંગણ..રહસ્યના સ્ફોટ માટે શેર જ માણીએ...
તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે,
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળેને, ત્યારે સાલું લાગી આવે
ગુજરાતી ગઝલ એના પ્રારંભિક તબક્કામાં ઉર્દુ શબ્દોથી છવાયેલી હતી પણ ધીમે ધીમે શયદા સાહેબના સમયમાં શુધ્ધ ગુજરાતીમાં લખાવા લાગી જેમકે શયદા સાહેબનો જ ઈશ્વર હોવાની તરફેણમાં લખાયેલો આ શેર,
હાથમાં લઈને જરા શ્રીફળ વિચાર,
કોણ ત્યાં જઈને ભરે છે જળ વિચાર
પછી તો ઘણા માતબર નામોએ ગુજરાતી ગઝલમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું. એક નવી તરહનો પડાવ પણ આવ્યો શ્રી નયન દેસાઈ..જે આ રીતના શેર આપે કે,
જીવ્યાનું જોયા હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો, મુકામ પોસ્ટ માણસ
ભીંતોને પડછાયા સારા છે સૂરજ ઊગ્યાનું લખી દો, મુકામ પોસ્ટ માણસ
આ વાત એટલા માટે કરી કે અત્યારે જે ગઝલનો રસાસ્વાદ કરવાના છીએ તે એટલે કે આજની ગુજરાતી ગઝલ...અત્યારની બોલચાલની ભાષા, હું-તમે રોજિંદા વ્યવહારમાં વાપરીએ તે ભાષામાં જ પણ તો પણ વિચારની એક નવી સૃષ્ટીમાં લઈ જાય એવી વાત લઈને આવે છે..વાતમાં વધુ મોણ નાખ્યા વગર સીધા ગઝલ માણીએ..
મત્લાનો શેર જુઓ.. ઝાડ જે એનાં પાંદડાને લીધે ભર્યું ભર્યું છે..એને જ્યારે પાનખર બેસે ત્યારે પાન વગરના ઝાડને જોઈને શું થાય? સાલું લાગી આવે..અને જંગલ જેની પ્રક્રુતિ એકાંતપ્રિય છે, ત્યાં માણસ પહોંચે..પિકનિક કરવા અને જંગલના વ્હાલકડા એકાંતને ખળભળાવે તો શું થાય? સાલું લાગી આવે..
પાનખરોમાં પાન ખરેને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે
કોઈ માણસને તમે વર્ષોથી જોતા હો, કોઈ ધ્યેય પામવા માટે..અને એમ જ લાગતું હોય કે ગમે ત્યારે એ મંઝિલ મેળવી લેશે..અને તમને ખબર પડે કે કોઈ સંજોગોવશાત કે મનવશાત એનુ ધ્યાન ભંગ થયુ અને એ ધ્યેય માટે હવે એ મહેનત નથી કરતો તો?
વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઈ ખાઈ ને ઊંડી ખીણો,
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે
હવે પછીના શેરને માટે કંઈ લખવા જેવું નથી...
સામેની ફૂટપાથ ઉપર સૂતાં હો બાળક ભૂખ્યા પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળેને, ત્યારે સાલું લાગી આવે
અને ગઝલનો છેલ્લો શેર..જાને ગઝલ શેર..
તમારે કોઈ સાથે દુશ્મની હોય વર્ષોથી અને નાની લડાઈઓથી તમે કંટાળ્યા હો અને એક વાર નક્કી કરો કે આ પાર કે પેલે પારની એક આખરી લડાઈ કરી લઈએ..અને તમે બધ્ધી તૈયારીઓ કરો અને પછી દુશ્મનને પડકારી લાવો સમરાંગણ..રહસ્યના સ્ફોટ માટે શેર જ માણીએ...
તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે,
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળેને, ત્યારે સાલું લાગી આવે
શનિવાર, માર્ચ 17, 2007
સંસાર છે ચાલ્યા કરે...
આજે for a change મારી ગઝલ...
ખૂબ ઊંડા વેદનાના ઘાવ છે, સંસાર છે ચાલ્યા કરે
ચામડી નીચે સળગતી આગ છે, સંસાર છે ચાલ્યા કરે
આપણે સાથે મળી વર્ષો લગી જેને બનાવ્યા ધારદાર,
પીઠ ઉપર એ ખંજરોનો ભાર છે, સંસાર છે ચાલ્યા કરે
સહેજ અમથી આંખ ભીની થઈ હશે એ તો કબૂલ,પણ થાય શું?
સત્યને દફનાવવાની વાત છે, સંસાર છે ચાલ્યા કરે
એ તને આવી મળે કે ના મળે એ શક્યતાનો આમ તો,
ડોર પર શ્રદ્ધાની બસ આધાર છે, સંસાર છે ચાલ્યા કરે
ખૂબ ઊંડા વેદનાના ઘાવ છે, સંસાર છે ચાલ્યા કરે
ચામડી નીચે સળગતી આગ છે, સંસાર છે ચાલ્યા કરે
આપણે સાથે મળી વર્ષો લગી જેને બનાવ્યા ધારદાર,
પીઠ ઉપર એ ખંજરોનો ભાર છે, સંસાર છે ચાલ્યા કરે
સહેજ અમથી આંખ ભીની થઈ હશે એ તો કબૂલ,પણ થાય શું?
સત્યને દફનાવવાની વાત છે, સંસાર છે ચાલ્યા કરે
એ તને આવી મળે કે ના મળે એ શક્યતાનો આમ તો,
ડોર પર શ્રદ્ધાની બસ આધાર છે, સંસાર છે ચાલ્યા કરે
શનિવાર, માર્ચ 10, 2007
તારું પહેલા વરસાદ સમું આવવું
ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
બળતે બપ્પોર ભીનો પગરવ સૂણીને
કાંઈ વાસ્યા કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોના એવાં અંધાર્યા વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા
ઓચિંતા ધોધમાર આપણે ઊભાં રહ્યાંનું પૂર આવવું
ફળિયે પલાશ ફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખાઓ ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?
ફાગણની ઝાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
-શ્રી રમેશ પારેખ
શનિવાર, માર્ચ 03, 2007
એક ભૌમિતિક ગઝલ...
ફરી સૂરતનો વારો...એવું એક નામ જેણે ગઝલના માળખાને એમનુ એમ રાખીને, અંદરના કલેવરને ધરમૂળથી બદલી નાંખ્યુ..માન્યામાં નથી આવતું ને..તો જાણી લો એ નામ એટલે શ્રી નયન દેસાઈ અને માણો આ ગઝલ...
લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે
શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે
ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક શોધીએ
કે, હ્ર્દયને કેટલા અંશો સુધી છેદાય છે
આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે-
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે
બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે
લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે
શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે
ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક શોધીએ
કે, હ્ર્દયને કેટલા અંશો સુધી છેદાય છે
આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે-
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે
બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
ટિપ્પણીઓ (Atom)