લેબલ હરીન્દ્ર દવે સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ હરીન્દ્ર દવે સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, ઑક્ટોબર 28, 2007

જાણી બુઝીને અમે અળગા

શ્રી હરિન્દ્ર દવેનું આ બહુ જ જાણીતુ ગીત “જાણી બુઝીને અમે અળગા ચાલ્યા”– ટહુકો.કોમ પર 30મી જૂને મૂકાયું હતું...ફરી મુકવાનું કારણ?? કારણ.. મારા બ્લોગનો એક નવો પડાવ..એ શું? મારી પાસે ઓડિયો કેસેટના સ્વરૂપે ઘણા ગીતો પડ્યા હતા..જયશ્રીએ ભારતની મુલાકાત વખતે ખાસ્સું પ્રોત્સાહન આપ્યું એને digitize કરવાનું અને એનું પરિણામ તમારી સામે છે..વેલ..વેલ વેલ..પરેશ ભટ્ટના પોતાના અવાજમાં એમનું આ composition!!!!!... વચ્ચે એમણે આ ગીતને ખૂબ સુંદર રીતે સમજાવ્યું પણ છે...બહુજ જૂની કેસેટ જેની quality જ બહુ સરસ નથી (જયારથી મારી પાસે આવી 1992-93માં ત્યારથી જ), તો એનું mp3 ફોર્મેટ ખૂબ સુંદર ના જ હોય..પણ સાંભળતી વખતે ફક્ત એની historic value ધ્યાનમાં રાખવા વિનંતિ..તો હવે તમારી અને પરેશ ભટ્ટની વચ્ચે વધુ આવ્યા વિના, લો આ પ્રસ્તુત છે....





જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !
હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?
દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?


આ ગીત માટે આભાર..
ટહુકો.કોમ

મંગળવાર, જાન્યુઆરી 09, 2007

મને ખ્યાલ પણ નથી...

ગીતના કવિ અને મોટા ગજાના પત્રકાર શ્રી હરિન્દ્ર દવેની આ અદભૂત ગઝલ ગઈકાલે 'ગ્રંથ માધુર્ય' કાર્યક્રમ અંતર્ગત શ્રી રાજેશ વ્યાસ 'મિસ્કીને' પઠન કરી. શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે આ ગઝલને સુંદર રીતે સ્વરબદ્ધ કરી છે.

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી


હવે પછીનો શેર...કોઈ જીવનમાંથી જતું રહે અને એને ભૂલી જવાના બળપૂર્વકના બહુ જ પ્રયત્ન કરો..અને એ નિષ્ફળ પ્રયત્નો ઉપર તમારું ધ્યાન એટલું કેન્દ્રિત થઈ જાય કે..એટલું કેન્દ્રિત થાય કે એમાં એ વ્યક્તિને જ ભૂલી જવાય તો! (એ વાત જુદી છે કે સાચે જ જો કવિ એ પ્રિયજનને ભૂલી ગયા હોત તો આ શેર આવત?!)

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું મને ખ્યાલ પણ નથી


જીભ બહુ શક્તિશાળી હથિયાર છે, એને સારી રીતે વાપરો તો તમને ઘણા ફાયદા થઈ શકે, પણ એમાંથી નીકળેલી થોડીક અવળી વાણી પણ આજીવન મીત્રોને દુશ્મન બનાવી શકે છે....

વાતાવરણમાં ભાર છે મીત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી


અને...જાને ગઝલ શેર...નાનામાં નાનો માણસ..અરે...આપણે દરેક જણ...પોતાના સ્વમાન માટે બહુ જાગ્રુત હોઈએ છીએ અને એવો દાવો કરીએ છીએ કે સ્વમાન બચાવવા આપણે કંઈ પણ ભોગ આપવા તૈયાર છીએ..હવે આ 'કંઈ પણ'નો મનગમતો અર્થ લઈને શાયર કેટલો જાનદાર અને કદાચ આપણા દરેક માટે ક્યારેક ને ક્યારેક સાચો પડતો શેર આપે છે!

મારું સ્વમાન રક્ષવા જાતા કદી કદી,
હું કરગરી ગયો છું મને ખ્યાલ પણ નથી