લેબલ નીતિન વડગામા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ નીતિન વડગામા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, ઑક્ટોબર 16, 2008

ક્યાં વંચાય છે?- નીતિન વડગામા

મનોજ ખંડેરિયાના સાહિત્ય ખેડાણ પર ઉંડો અભ્યાસ કરનાર આ કવિ નીતિન વડગામાની ખુદની કલમની તાકાત તો જુઓ. અને એમનો મા પરનો શેર તો ખરેખર અદભૂત થયો છે.


પગ તળેથી સામટો આધાર સરકી જાય છે
એ જ ક્ષણથી આપણો આ દેહ ઢગલો થાય છે

શોધ યુગોથી સતત જેની અહીં કરતા રહ્યા
છેવટે એ તત્વ પાછું ક્યાં જઈ સંતાય છે?

પુસ્તકો કે પંડિતો પણ જે ન સમજાવી શક્યાં,
એક પળમાં આખરે એ ફિલસૂફી સમજાય છે.

ઝંખીએ સઘળું અહીં ભૂલી જવાના શાપને,
તોય પાછી એક ઘટના એમ ક્યાં વિસરાય છે?

કેદ કરવાની મથામણ માણસો કરતા રહે,
શ્વાસનું પંખી કદી ક્યાં પિંજરે પુરાય છે?

આંખની સાથે જ સમજણ પણ જરૂરી હોય છે
આ શિલાલેખો અમસ્તા એમ ક્યાં વંચાય છે? @



@ સદગત માતુશ્રીને........