શનિવાર, ઑગસ્ટ 04, 2007

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે...

સૂરતના શ્રી ભગવતીકુમાર શર્મા જેમની માણસ વીશેની ગઝલ આપણે જૂની postમાં માણી હતી તેમની એક બીજી ગઝલ માણીએ..આ ગઝલને શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે બહુ સરસ compose કરી છે..આજે પણ આ ગઝલ યાદ આવે તો હંસા દવેના ઘંટાયેલો અવાજ અને ઉદાસી શબ્દ ઉપરનો આલાપ એનો હિસ્સો અચૂક હોય છે...

શાયરે ઉદાસીની વાત કરી છે અને એ ઘણી બધી રીતની હોય..પણ કોઈ પ્રીય પાત્રની રાહ જોવાતી હોય અને આવવાનો નીર્ધારીત સમય વીતી ગયો હોય ત્યારે ઉત્કંઠા પછી ઉદાસી બની જાય છે..હવે માણસ છે એટલે પોતે ઉદાસ છે અને એ ઉદાસી ક્યારે ડુસકા બની ગઈ એ બધુ કહેતા ego આડે આવે.. એટેલે શાયરે સાંજને ઉદાસ બનાવી છે..કવિ અને કવિતાની આ જ ખૂબી છે.



ઉદાસી આ સૂરજની આંખે ચડી છે
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.


હવે ઉદાસ મન હોય અને એ અવસ્થામાં વિહવળ થઈને...વરંડામાં રાહ જોતી વ્યક્તિ સ્વાભવિક રીતે ઝરૂખામાં જાય ... પ્રતીક્ષામાં બેચેન મન આટલું તો કરાવે..પણ again માણસ છે..પોતે વિહવળ થ્ઈ પ્રતીક્ષામાં ઝરૂખે જાય એવું કોઈને ખબર પડી જાય તો કેવું લાગે..અને એટલે શાયર આ અદભૂત શેર આપે છે...


મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચડી છે


હવે પ્રતીક્ષા હોય, ઉદાસી હોય આ બધી હાલતમાં સારા ખરાબ વિચારોની સાથે વીજળીની માફક સાથે વિતાવેલી સારી પળ યાદ આવે..અને જો તમે ભગવતીકુમાર શર્મા જેવા સમર્થ શાયર હો તો આ શેર આવે..
સાથે આ શેર એ પણ બતાવે છે કે આ પ્રતીક્ષા સવારે ગયેલ માણસના પાછા આવવાની નહિ પણ ઘણા સમય પહેલા ચાલી ગયેલી વ્યક્તિ જે લગભગ પાછી નથી આવવાની એવું દિમાગ કહે છે પણ દિલ એની પ્રતીક્ષાને છેક ઝરૂખે લઈ જાય છે...પણ જવા દો આ બધી વાત અને દિલ ભરીને આ શેર માણો..


તમે નામ મારું લખ્યું'તું કદી જ્યાં
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે


અને છેલ્લો શેર...ઉપર કરેલી ઉદાસ યાદોની વાત એક જૂદી જ રીતે .


જરા ગણગણી લઉં તમારી સભામાં
ભૂલાયેલ પંકતિઓ હોઠે ચડી છે

1 ટિપ્પણી:

  1. અજ્ઞાત8/06/2007 9:11 PM

    ગુંજનભાઇ, તમારો બ્લોગ આજે પેહલીવાર જ જોયો... ખુબ જ સરસ છે. અને તમારો રસાસ્વાદ ખરેખર જ માણવા લાયક છે... ખુબ જ ગમ્યો....

    જવાબ આપોકાઢી નાખો