શુક્રવાર, ઑક્ટોબર 10, 2008

ગઝલ - આશા પુરોહિત

આ ગઝલમાં સરળ શબ્દો દ્વારા કોઈનાથી છૂટા પડ્યાની વેદના, કોઈના ચાલ્યા જવાનો અફસોસ બહુ વેધક રીતે વ્યક્ત થયો છે.


તું ગઈ, ને, એટલે વરસાદ પણ ગયો,
જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.

ચોતરફ એકાંતનો છે એવો દબદબો,
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.

કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.

એકલા આ મૌનમાં જીવીને શું કરું,
તું નથી, ને, એટલે સંવાદ પણ ગયો.

હું તને શોધ્યા કરું, ને તું મળે નહીં,
આપણા મેળાપનો અપવાદ પણ ગયો.

3 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત10/11/2008 5:08 AM

    કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
    લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.

    એકલા આ મૌનમાં જીવીને શું કરું,
    તું નથી, ને, એટલે સંવાદ પણ ગયો.

    હું તને શોધ્યા કરું, ને તું મળે નહીં,
    આપણા મેળાપનો અપવાદ પણ ગયો.


    ek ek vat ma bharobhar dard chupayelu che..khub saras...


    http://neeta-kotecha.blogspot.com/
    http://aakroshh.blogspot.com/
    http://neeta-myown.blogspot.com/

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત10/11/2008 5:24 AM

    ગઝલોની ખાણમાંથી જાણે ચમકદાર,દમકદાર કોહિનૂર હીરા જેવી ગઝલ.
    સારી ગઝલો મળતી નથી એવી બૂમરાણ કરવાનો થોડો સાદ પણ ગયો.

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાત10/14/2008 1:28 AM

    વાહ... એકદમ મસ્ત ગઝલ છે... વાંચતાવેંત ગમી ગઈ !

    જવાબ આપોકાઢી નાખો