ગુરુવાર, ઑક્ટોબર 23, 2008

ગઝલ - અમૃત "ઘાયલ"

પરંપરામાં પાછા જઇએ...અમૃત"ઘાયલ"ની એક ગઝલથી. એમને શુધ્ધ કવિતાથી મતલબ છે, પછી ભલે ને રાજાએ કરી હોય કે રંકે.


ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં !
કાવ્યો મળી રહ્યા છે કહાણીના સ્વાંગમાં !

આપણને આદિકાળથી અકળાવતું હતું,
લાવ્યો છું એ જ મૌન હું વાણીના સ્વાંગમાં !

પૂનમ ગણી હું જેમની પાસે ગયો હતો,
એ તો હતી ઉદાસી ઉજાણીના સ્વાંગમાં !

'ઘાયલ', અમારે શુધ્ધ કવિતાઓ જોઈએ,
દાસીના સ્વાંગમાં હો કે રાણીના સ્વાંગમાં.

1 ટિપ્પણી:

  1. ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં !
    કાવ્યો મળી રહ્યા છે કહાણીના સ્વાંગમાં !
    સુંદર
    યાદ આવી
    सिर्फ रगो में दौड़ने-फिरने के हम नहीं कायल,
    जो आंख से ही न टपका तो लहू क्या है?
    આપણને આદિકાળથી અકળાવતું હતું,
    લાવ્યો છું એ જ મૌન હું વાણીના સ્વાંગમાં !
    اِجازت نہیں اِذہارکی ورنہ میں چیںکھتا
    لب پہ ہمارے تم نے کیوں پہرے بیتھا دِے۔

    જવાબ આપોકાઢી નાખો