ગુરુવાર, ઑગસ્ટ 14, 2008

મારું જીવન એ જ મારી વાણી - ઉમાશંકર જોશી

આઝાદી નામની ઘટના માટે જેનું મોટું યોગદાન હતું એવા વ્યક્તિત્વને યાદ કરીએ, શ્રી ઉમાશંકર જોશીના શબ્દોમાં.

સંગીત અને સ્વર : પરેશ ભટ્ટ


મારું જીવન એ જ મારી વાણી,
બીજું એ તો ઝાકળ પાણી.

મારા શબ્દો ભલે નાશ પામો,
કાળ ઉદર માંહી વીરામો.
મારા કૃત્ય બોલી રહે તો ય,
જગ એ જ કેવળ સત્યનો જય.
મારો એ જ ટકો આધાર,
જેમાં સત્યનો જયજયકાર.
મારું જીવન એ જ મારી વાણી...........

સત્ય ટકો, છો જાય આ દાસ,
સત્ય એ જ હો છેલ્લો શ્વાસ.
એને રાખવાનું કોણ બાંધી,
એને મળી રહેશે એના ગાંધી.
જન્મી પામવો મૃત્યુ સ્વદેશ,
મારું જીવન એ જ સંદેશ.
મારું જીવન એ જ મારી વાણી...........

3 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત8/16/2008 2:04 AM

    પરેશ ભટ્ટના પિતાશ્રી અને પ્રકાશભાઈ ન્યુ-જર્શીથી અમારે ત્યાં આવ્યા ત્યારે અમારી પાસેની સ્વ.પરેશભાઈની એક કેસેટની વાત નીકળી હતી ત્યારબાદ બીજા ગીતો વિષે જાણવા પ્રયત્ન કર્યો

    પણ આજે સ્વર-સંગીત માણી ખૂબ આનંદ થયો
    પ્રજ્ઞાજુ વ્યાસ

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત8/18/2008 3:22 PM

    પરેશભાઇના અવાજમાં ગમે તે ગીત પ્યારું લાગે.

    Pancham Shukla

    જવાબ આપોકાઢી નાખો
  3. Hello Gunjan Sir,

    It is nice to listen this song in voce of Shri Paresh Bhatt.

    I have shared your this post on my blog. I copied lyrics and published the same in voice of Shyamal Munshi.I have given link to your blog. Do you have any objection? If yes, let me know. I will do needful.

    Thanks & Regards

    Krutesh

    URL of Relevant Post: http://www.krutesh.info/2010/10/blog-post_02.html

    જવાબ આપોકાઢી નાખો