મંગળવાર, ઑગસ્ટ 05, 2008

સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું...શ્યામ સાધુ

જુનાગઢે ગુજરાતને ગુજરાતી કવિતા આપી - નરસિંહ મહેતાથી....અને એને એટલી જ જડબેસલાક રીતે જે કવિતાને એમના પોતાના રસ્તે લઈ ગયા એવા કવિ શ્યામ સાધુની એક ગઝલ. બહુ જ સુંદર મત્લઅ, એની પાસે અટક્યા જ કરો અને આગળનો કોઈ પણ શેર ના વાંચો તો પણ છલોછલ છલકાઈ જાઓ! એ છતાં ઘરોઘર અને અગોચર કાફિયાવાળા શેર સુધી જવાનું ભૂલતા નહિ હોં?

સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું,
મારા ઘર સામે સરોવર નીકળ્યું!

શ્વાસ છે તો શિર પર આકાશ છે,
કેટલું કૌતુક મનોહર નીકળ્યું!

પુત્ર હીના જેવી દુનિયા એટલે,
આજ પણ મીઠું ઘરોઘર નીકળ્યું!

કલ્પના વચ્ચે ન જાણે શું હશે?
અર્થ વચ્ચે તો અગોચર નીકળ્યું!

જિંદગીના બોજને ઊંચકી લીધો,
હા, મરણ સાચું સહોદર નીકળ્યું!

2 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત8/05/2008 11:45 PM

    Nice blog. Included your blog in samelan ફોર એસ વી - સંમેલન. http://www.forsv.com/samelan/

    That will give your blog a more wider audience

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત8/07/2008 6:38 PM

    સુંદર ગઝલ...

    જિંદગીના બોજને ઊંચકી લીધો,
    હા, મરણ સાચું સહોદર નીકળ્યું!
    -મૃત્યુ વિશે આપણી ભાષામાં કેટકેટલું લખાઈ ગયું છે એ છતાં આ જાણે એક નવી જ અભિવ્યક્તિ !

    જવાબ આપોકાઢી નાખો