શનિવાર, જાન્યુઆરી 05, 2013

કેટલી ઓછી થઈ?

- થોડા સુધારા સાથે ફરી..


સાંજ થઈ, અખબારજીની દિવસતા, કેટલી ઓછી થઈ?
બંધ આ ઘડિયાળજીની સમયતા, કેટલી ઓછી થઈ?

'યાદ આવ્યું ગામ, ને આંખ ભીની થઈ નહીં' ના કારણે,
એક એ વસનારજીની નગરતા કેટલી ઓછી થઈ?

છાપરું કંઈ બોલશે તો પછી હાલત થશે એ બીકથી,
આજ આ વરસાદજીની હરફતા કેટલી ઓછી થઈ?

કેટલા વર્ષો પછી એ જરા સામા મળ્યા,તો એ પછી,
આપણા મનરાયજીની વગરતા કેટલી ઓછી થઈ?



- Written between March 8 to April 15, 2012. Modified on 05 Jan, 13.

1 ટિપ્પણી:

  1. અજ્ઞાત4/09/2013 11:14 AM


    છાપરું કંઈ બોલશે તો પછી હાલત થશે એ બીકથી,
    આજ આ વરસાદજીની હરફતા કેટલી ઓછી થઈ?

    બોવ જ સરસ છે ......

    http://bloodylifeandme.blogspot.in/

    જવાબ આપોકાઢી નાખો