શનિવાર, નવેમ્બર 13, 2010

ગઝલ - ઉદયન ઠક્કર

ઉદયન ઠક્કરના કાવ્યસંગ્રહ 'સેલ્લારા'માંથી એમની એક સદાબહાર ગઝલ -

રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે
વ્રુક્ષની માલિકી બાબત માગણીઓ થાય છે

એક સૂકા પાનની રેખામાં ઠેબાં ખાય છે
એ પવન બ્રહ્માંડભરનો ભોમિયો કહેવાય છે?

અસ્તરેખા જોઈને સૂરજની, કૂકડાએ કહ્યું,
'આપના પ્રારબ્ધમાં બહુ ચડઊતર દેખાય છે'

બાલદી, શીશી, તપેલી, પ્યાલૂં, ડબ્બો, ટોપિયું
ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે

ક્યાંક તો જાતો હશે એ, માનીને ચાલ્યો હતો
પણ હવે રસ્તો પૂછે છે, 'ભાઈ, તું ક્યાં જાય છે?'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો