મંગળવાર, નવેમ્બર 11, 2008

ગઝલ - મનોજ ખંડેરિયા

શ્રી મનોજ ખંડેરિયાની એક ગઝલ માણીએ. જાણે શ્રી આદિલ મનસૂરીને પહેલો અને છેલ્લો શેર અર્પણ કર્યો હોય એમ લાગે.


જિંદગી દીધી નાશવંત મને,
પણ ગઝલ રાખતી જીવંત મને.

જ્યારથી રૂપ તારું ગાયું મેં,
જોતી રહી ઈર્ષ્યાથી વસંત મને.

શબ્દમાં કાયમી સળગવાની,
શું સજા મળી છે જ્વલંત મને.

આ હયાતી તો છે રહસ્ય-કથા,
આમ કહી દે ન એનો અંત મને.

માત્ર મેં તો લખી છે તારી વાત,
લોક સમજી રહ્યા છે સંત મને.

અંતમાં તેં વિખેરી નાખીને-
વિશ્વભરમાં કર્યો અનંત મને.

3 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત11/13/2008 7:41 AM

    Wonderful Ghazal of Shri Manoj Khanderia.
    Sudhir Patel.

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત11/13/2008 12:36 PM

    very....nice gunjan..........kya bat hai..manoj khanderiya sir.........

    BHINASH.......

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાત11/13/2008 12:38 PM

    very....nice gunjan..........kya bat hai..manoj khanderiya sir.........

    BHINASH.......

    જવાબ આપોકાઢી નાખો