બુધવાર, ઑક્ટોબર 08, 2008

ગઝલ- ભરત વિંઝુડા

આ ગઝલમાં ભરત વિંઝુડા એક જ શેરથી ગઝલને કેટલી ઉંચાઇ પર મૂકી દે છે! ભગવાનને અરજી કરે છે અને બહુ ભોળપણથી મોક્ષરૂપી સહી કરવાનું કહી દે છે!


સર્વ ખેંચાણમાંથી મુક્ત થાવું,
ખૂબ મુશ્કેલ છે લુપ્ત થાવું.

મારી અરજીમાં તું સહી કરી દે,
શક્ય છે આમ સંયુક્ત થાવું.

એ નિરાકાર જોયા કરે છે,
તારું કમરા મહીં લુપ્ત થાવું.

આ સ્વયંભૂ મળેલી સરળતા,
કેમ ત્યજવી અને ચુસ્ત થાવું.

વૃધ્ધ ને એક બાળક રમે છે,
એને જાણે નથી પુખ્ત થાવું!

4 ટિપ્પણીઓ: