મંગળવાર, ઑક્ટોબર 07, 2008

કદાચ- અનિલ જોશી

માણસ પોતાની જીંદગીને કેટલું ચાહે છે. પણ કોઇ એવું કહી દે કે જાઓ તમને મરવાની છુટ્ટી...તો જીંદગીને આટલી તીવ્રતાથી ચાહી શકાશે? કદાચ જીવી પણ લેવાનું વિચારો અને ત્યાં જ કોઈ કહે કે ઉપરથી અત્યારના ભીડની પરિસ્થિતિ જેમની તેમ રહેવાની અને એ સાથે કોઇ દિવસ મર્યા વગર જીવવાનું છે... તો?


આભ-ઊડતી
કુંજડીઓની કતાર
ગણવા સમી જિન્દગી
નહીં ખૂટે તો?

ઘરને ઉંબર
ઢળી પડેલા
સમી સાંજને તડકે
મારું ઝળહળ ઘરને નેવાં,
ને-
અવરજવરતી કીડીઓની લંગાર
જોઇ ને
અગન-થાંભલી
જઉં બાથમાં લેવા
કદાચ મારી પરિસ્થિતિની અગનથાંભલી
તડાક દઈને નહીં તૂટે તો?

આભ-ઊડતી
કુંજડીઓની કતાર
ગણવા સમી જિન્દગી
નહીં ખૂટે તો?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો