મંગળવાર, ઑગસ્ટ 19, 2008

અશોક ચાવડા 'બેદિલ' - મારામાં

નવી ગુજરાતી કવિતાનો નવો કવિ - સાથે સાથે પત્રકારત્વ, સંપાદન જેવી બીજી અનેક ખૂબીઓવાળો અને ઉમદા વ્યક્તિત્વ તો ખરું જ - એના એક ખૂબ જાણીતા શેર સાથે અશોક ચાવડા 'બેદિલ'ને પેશ કરું છું, એના અવાજમાં.
એણે આ જ શેરના નામે એટલે કે 'પગલાં તળાવમાં' નામે સુંદર કાવ્ય સંગ્રહ પણ આપેલો છે.

કાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા,
કે કોણ આ ભૂલી ગયું પગલાં તળાવમાં.

અને હવે ગઝલ -


ક્યાં છે હોશો હવાસ મારામાં,
હું જ કરતો વિનાશ મારામાં.

સાવ ખંડેરસમ બધું લાગ્યું,
મેં કરી જ્યાં તપાસ મારામાં.

આ અરિસો ય રોજ પૂછે છે,
કોણ બેઠું ઉદાસ મારામાં.

કેમ દફનાવવી વિચારું છું,
હોય મારી જ લાશ મારામાં.

કોઈ 'બેદિલ' મને બતાવે ના,
શું થયું છે ખલાસ મારામાં.

2 ટિપ્પણીઓ:

  1. સરસ રચના
    કાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા,
    કે કોણ આ ભૂલી ગયું પગલાં તળાવમાં.
    વાહ
    મસ્ત ગાયકી
    pragnaju

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત11/30/2012 11:18 AM

    કાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા,
    ભૂલી ગયું છે કોણ આ પગલાં તળાવમાં.

    જવાબ આપોકાઢી નાખો