મંગળવાર, જાન્યુઆરી 09, 2007

મને ખ્યાલ પણ નથી...

ગીતના કવિ અને મોટા ગજાના પત્રકાર શ્રી હરિન્દ્ર દવેની આ અદભૂત ગઝલ ગઈકાલે 'ગ્રંથ માધુર્ય' કાર્યક્રમ અંતર્ગત શ્રી રાજેશ વ્યાસ 'મિસ્કીને' પઠન કરી. શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે આ ગઝલને સુંદર રીતે સ્વરબદ્ધ કરી છે.

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી


હવે પછીનો શેર...કોઈ જીવનમાંથી જતું રહે અને એને ભૂલી જવાના બળપૂર્વકના બહુ જ પ્રયત્ન કરો..અને એ નિષ્ફળ પ્રયત્નો ઉપર તમારું ધ્યાન એટલું કેન્દ્રિત થઈ જાય કે..એટલું કેન્દ્રિત થાય કે એમાં એ વ્યક્તિને જ ભૂલી જવાય તો! (એ વાત જુદી છે કે સાચે જ જો કવિ એ પ્રિયજનને ભૂલી ગયા હોત તો આ શેર આવત?!)

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું મને ખ્યાલ પણ નથી


જીભ બહુ શક્તિશાળી હથિયાર છે, એને સારી રીતે વાપરો તો તમને ઘણા ફાયદા થઈ શકે, પણ એમાંથી નીકળેલી થોડીક અવળી વાણી પણ આજીવન મીત્રોને દુશ્મન બનાવી શકે છે....

વાતાવરણમાં ભાર છે મીત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી


અને...જાને ગઝલ શેર...નાનામાં નાનો માણસ..અરે...આપણે દરેક જણ...પોતાના સ્વમાન માટે બહુ જાગ્રુત હોઈએ છીએ અને એવો દાવો કરીએ છીએ કે સ્વમાન બચાવવા આપણે કંઈ પણ ભોગ આપવા તૈયાર છીએ..હવે આ 'કંઈ પણ'નો મનગમતો અર્થ લઈને શાયર કેટલો જાનદાર અને કદાચ આપણા દરેક માટે ક્યારેક ને ક્યારેક સાચો પડતો શેર આપે છે!

મારું સ્વમાન રક્ષવા જાતા કદી કદી,
હું કરગરી ગયો છું મને ખ્યાલ પણ નથી

2 ટિપ્પણીઓ:

  1. KiranKumar Roy10/08/2009 9:52 PM

    કંટકની માવજતમાં અચાનક ઘણી વખત
    ફૂલો સુધી ગયો છું મને ખ્યાલ પણ નથી

    http://gujaratisahityaa.blogspot.com/2009/04/blog-post_5925.html

    જવાબ આપોકાઢી નાખો
  2. very good ghazal,
    next time I would like to accompany you to the Kavita program.

    જવાબ આપોકાઢી નાખો