રવિવાર, ઑક્ટોબર 10, 2010

મનવત ગઝલ - ગુંજન ગાંધી


આ તરફ કે તે તરફ એ પૂછવાનું હોય છે,
ને પછી પેલી તરફ આગળ જવાનું હોય છે.
આપવું જો હોય તો આપી દે, તડપાવીશ નહિં,
આ જ, કાયમ આ જ મારે માંગવાનું હોય છે.
સાંજ પડતા થઈ ગયું અખબાર પણ પસ્તી પછી,
સાંજ આવે જીંદગીમાં, ચેતવાનું હોય છે.
સાથ અંધારા સુધી કેમ ના આપે બધા?
જાણવા જાતે જ પડછાયો થવાનું હોય છે!
આંખવત કે હાથવત કે દંડવત પૂરતું નથી,
બારણાની બહાર મનવત ચાલવાનું હોય છે.

- ગુંજન ગાંધી

Written in July, 2008. Updated on 10.10.10 and 18.01.13.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો