લેબલ ફકીર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ફકીર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, ઑગસ્ટ 09, 2008

ગઝલરૂપ! - ફકીર

વાત આજે માંડવી છે 19મી સદીના અંત અને 20મી સદીની શરૂઆતમાં થયેલી ગઝલ(જેવી) રચનાઓની. કહેવાય છે કે શયદા સાહેબે ગુજરાતી ગઝલને એના સાચા અંતર સ્વરૂપ (ગુજરાતી પણું) અને બાહ્યરૂપ (શુધ્ધ છંદ, રદીફ, કાફિયા) સાથે રજૂ કરી - એમનો આજથી કેટલાય દાયકાઓ પહેલા લખાયેલો આ શેર જુઓ - એનો અદભૂત આધુનિક રદિફ જુઓ :
હાથમાં લઈને જરા શ્રીફળ વિચાર,
કોણ ત્યાં જઈને ભરે છે જળ, વિચાર.

પણ એમની પહેલાના કવિઓ એટલે કે કલાપી, બાલાશંકર કંથારિયા, દિવાનો, ફફીર વગેરે ઘણા બધાએ મહદઅંશે ગઝલનું રૂપ જાળવીને જે રચનાઓ આપી - એક રીતે જોતા આજની લખાતી ગુજરાતી ગઝલની ઈમારતના પાયા જેવી - એ પાયામાંની એક ઈંટ આજે સ્મરીએ.. રચના છે ફકીરની. એમનામાં ચીનુ મોદીને આદીલ સાહેબનો પૂર્વજ દેખાય છે - તમને શું લાગે છે?

વ્યથાઓ જીવનની અદા થઈ ગઈ;
અદાઓ તમારી બલા થઈ ગઈ.

વફાની ન ખાહિશ રહી છે હવે -
વફાઓ અમારી ખતા થઈ ગઈ.

તસલ્લી હતી દિલને તદબીરથી-
ઘડીભરની કિસ્મત ફના થઈ ગઈ.

વિરહની નવાજિશ થઈ પ્રેમમાં -
ખુશી જિંદગીથી ખફા થઈ ગઈ.

હૃદયની તમન્નાને દફનાવવા-
હજાર આફતો છે જમા થઈ ગઈ.

ભમે છે નિગાહો હવે ચોતરફ;
દિવાની અરેરે! હયા થઈ ગઈ.

તિમિર કંઈ દિસે છે નજરમાં હવે;
વિરહ-રાત્રિઓ, શું ઉષા થઈ ગઈ.

નિહાળીને એને ગઝલ-રૂપમાં -
'ફકીર' જાન મારી ફિદા થઈ ગઈ.