શ્રી મુકેશ જોશી એટલે શ્રી સુરેશ દલાલના શબ્દો માં ગુજરાતી ભાષાની ઉજ્જળ આવતી કાલનું અજવાળુ...
ગુજરાતી ગઝલ એના પ્રારંભિક તબક્કામાં ઉર્દુ શબ્દોથી છવાયેલી હતી પણ ધીમે ધીમે શયદા સાહેબના સમયમાં શુધ્ધ ગુજરાતીમાં લખાવા લાગી જેમકે શયદા સાહેબનો જ ઈશ્વર હોવાની તરફેણમાં લખાયેલો આ શેર,
હાથમાં લઈને જરા શ્રીફળ વિચાર,
કોણ ત્યાં જઈને ભરે છે જળ વિચાર
પછી તો ઘણા માતબર નામોએ ગુજરાતી ગઝલમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું. એક નવી તરહનો પડાવ પણ આવ્યો શ્રી નયન દેસાઈ..જે આ રીતના શેર આપે કે,
જીવ્યાનું જોયા હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો, મુકામ પોસ્ટ માણસ
ભીંતોને પડછાયા સારા છે સૂરજ ઊગ્યાનું લખી દો, મુકામ પોસ્ટ માણસ
આ વાત એટલા માટે કરી કે અત્યારે જે ગઝલનો રસાસ્વાદ કરવાના છીએ તે એટલે કે આજની ગુજરાતી ગઝલ...અત્યારની બોલચાલની ભાષા, હું-તમે રોજિંદા વ્યવહારમાં વાપરીએ તે ભાષામાં જ પણ તો પણ વિચારની એક નવી સૃષ્ટીમાં લઈ જાય એવી વાત લઈને આવે છે..વાતમાં વધુ મોણ નાખ્યા વગર સીધા ગઝલ માણીએ..
મત્લાનો શેર જુઓ.. ઝાડ જે એનાં પાંદડાને લીધે ભર્યું ભર્યું છે..એને જ્યારે પાનખર બેસે ત્યારે પાન વગરના ઝાડને જોઈને શું થાય? સાલું લાગી આવે..અને જંગલ જેની પ્રક્રુતિ એકાંતપ્રિય છે, ત્યાં માણસ પહોંચે..પિકનિક કરવા અને જંગલના વ્હાલકડા એકાંતને ખળભળાવે તો શું થાય? સાલું લાગી આવે..
પાનખરોમાં પાન ખરેને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે
કોઈ માણસને તમે વર્ષોથી જોતા હો, કોઈ ધ્યેય પામવા માટે..અને એમ જ લાગતું હોય કે ગમે ત્યારે એ મંઝિલ મેળવી લેશે..અને તમને ખબર પડે કે કોઈ સંજોગોવશાત કે મનવશાત એનુ ધ્યાન ભંગ થયુ અને એ ધ્યેય માટે હવે એ મહેનત નથી કરતો તો?
વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઈ ખાઈ ને ઊંડી ખીણો,
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે
હવે પછીના શેરને માટે કંઈ લખવા જેવું નથી...
સામેની ફૂટપાથ ઉપર સૂતાં હો બાળક ભૂખ્યા પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળેને, ત્યારે સાલું લાગી આવે
અને ગઝલનો છેલ્લો શેર..જાને ગઝલ શેર..
તમારે કોઈ સાથે દુશ્મની હોય વર્ષોથી અને નાની લડાઈઓથી તમે કંટાળ્યા હો અને એક વાર નક્કી કરો કે આ પાર કે પેલે પારની એક આખરી લડાઈ કરી લઈએ..અને તમે બધ્ધી તૈયારીઓ કરો અને પછી દુશ્મનને પડકારી લાવો સમરાંગણ..રહસ્યના સ્ફોટ માટે શેર જ માણીએ...
તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે,
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળેને, ત્યારે સાલું લાગી આવે
ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો.... ગુંજારવ - ગુજરાતી કવિતાનો....
રવિવાર, માર્ચ 25, 2007
શનિવાર, માર્ચ 17, 2007
સંસાર છે ચાલ્યા કરે...
આજે for a change મારી ગઝલ...
ખૂબ ઊંડા વેદનાના ઘાવ છે, સંસાર છે ચાલ્યા કરે
ચામડી નીચે સળગતી આગ છે, સંસાર છે ચાલ્યા કરે
આપણે સાથે મળી વર્ષો લગી જેને બનાવ્યા ધારદાર,
પીઠ ઉપર એ ખંજરોનો ભાર છે, સંસાર છે ચાલ્યા કરે
સહેજ અમથી આંખ ભીની થઈ હશે એ તો કબૂલ,પણ થાય શું?
સત્યને દફનાવવાની વાત છે, સંસાર છે ચાલ્યા કરે
એ તને આવી મળે કે ના મળે એ શક્યતાનો આમ તો,
ડોર પર શ્રદ્ધાની બસ આધાર છે, સંસાર છે ચાલ્યા કરે
ખૂબ ઊંડા વેદનાના ઘાવ છે, સંસાર છે ચાલ્યા કરે
ચામડી નીચે સળગતી આગ છે, સંસાર છે ચાલ્યા કરે
આપણે સાથે મળી વર્ષો લગી જેને બનાવ્યા ધારદાર,
પીઠ ઉપર એ ખંજરોનો ભાર છે, સંસાર છે ચાલ્યા કરે
સહેજ અમથી આંખ ભીની થઈ હશે એ તો કબૂલ,પણ થાય શું?
સત્યને દફનાવવાની વાત છે, સંસાર છે ચાલ્યા કરે
એ તને આવી મળે કે ના મળે એ શક્યતાનો આમ તો,
ડોર પર શ્રદ્ધાની બસ આધાર છે, સંસાર છે ચાલ્યા કરે
શનિવાર, માર્ચ 10, 2007
તારું પહેલા વરસાદ સમું આવવું
ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
બળતે બપ્પોર ભીનો પગરવ સૂણીને
કાંઈ વાસ્યા કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોના એવાં અંધાર્યા વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા
ઓચિંતા ધોધમાર આપણે ઊભાં રહ્યાંનું પૂર આવવું
ફળિયે પલાશ ફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખાઓ ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?
ફાગણની ઝાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
-શ્રી રમેશ પારેખ
શનિવાર, માર્ચ 03, 2007
એક ભૌમિતિક ગઝલ...
ફરી સૂરતનો વારો...એવું એક નામ જેણે ગઝલના માળખાને એમનુ એમ રાખીને, અંદરના કલેવરને ધરમૂળથી બદલી નાંખ્યુ..માન્યામાં નથી આવતું ને..તો જાણી લો એ નામ એટલે શ્રી નયન દેસાઈ અને માણો આ ગઝલ...
લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે
શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે
ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક શોધીએ
કે, હ્ર્દયને કેટલા અંશો સુધી છેદાય છે
આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે-
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે
બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે
લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે
શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે
ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક શોધીએ
કે, હ્ર્દયને કેટલા અંશો સુધી છેદાય છે
આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે-
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે
બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે
રવિવાર, ફેબ્રુઆરી 18, 2007
શબ્દો જ કંકુને ચોખા...
વાત આજે માંડવી છે જુનાગઢના રેશમી શાયર..શ્રી મનોજ ખંડેરિયાની, કઠોરમાં કઠોર વાતને પણ એ શાયરે નાજૂકાઇથી જ કાયમ મૂકી આપી છે અને તે પણ સંપૂર્ણ અસરકારક રીતે..
બીજુ એ કે, Corporate Worldમાં કે Managementની વાતોમાં જે Core Competencyની વાતો થઈ છે..જે મુજબ કંપનીએ પોતાના Main Business પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ..બહુ દિશાઓમાં પ્રયત્નો કરીને effort dilute ના કરવા જોઇએ...એ વાતને આ શાયરે પોતાની જીંદગીમાં ઉતારી..માત્ર ગઝલનો જ કાવ્ય પ્રકાર ખેડીને..અને એમાં એમણે હાંસલ કરેલી ઉંચાઈઓ તો મારી તમારી નજર સામે જ છે..
ગઝલ એ મનોજ ખંડેરિયા માટે મનોરંજન નહી પણ પ્રાણવાયુ હતી, એની વાત ફરી ક્યારેક..પણ અહીં જે ગઝલ કહેવી છે એ પણ કવિ માટે કવિતાનો શબ્દ કેટલો અગત્યનો છે એની વાત છે..જીવનમાં માણસ સૌથી વધુ મહત્વ લગ્નપ્રસંગો કે પછી તહેવારોને આપતો હોય છે અને એ મહત્વના પ્રસંગોમાં તીલક કે સાથિયા કે પૂજન માટે કંકૂ અને ચોખાની જરુર પડે..પણ આ કવિને તો જુદી રીત રસમો અનુસરવી છે..
રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
આપણે બધા માણસો ઉપર ઉપરથી વ્યવસ્થિત લાગીએ - જાણે કે બાકસના up-to-date ખોખા..પણ કવિએ શેરના ઉલા મિસરામાં (પહેલી લાઈનમાં યાર...) પોલ ખોલી નાખી છે અંદરના માલની!
હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંના જીવન જાણે કે બાકસનાં ખોખાં
સ્વ્પ્નો જોવાની આપણને બધાને ટેવ અને છૂટ...અને એ લીલાછમ પણ હોય છે જ્યાં સુધી એ સ્વ્પ્ન-પાત્ર જીવનનુ મધ્ય કેન્દ્ર હોય છે..પણ એ પાત્રના કાયમી ગમન પછી કે એની શક્યતાઓ સાવ સૂક્કી થઈ જાય તો કદાચ આવો શેર આવે...
લચ્યા'તા જે આંખે લીલા મોલ થઈને
હવે એ જ સપનાં છે સુક્કાં મલોખાં
આ ઈશ્વર નામનો મહા પુરુષ આપવાની વાત આવે ત્યારે અપેક્ષા મુજબની વસ્તુ જ આપે છે પણ એનું સ્વરૂપ બદલી નાખે છે..પણ એ તો એની ટેવ છે..
તું તરસ્યાને આપે છે ચીતરેલાં સરવર
તને ટેવ છે તો કરે કોણ ધોખા
પાપોનું પ્રાયશ્ચિત કરવું હોય કવિને તો..એ કલમમાંથી શબ્દો રૂપી ગંગા વહાવે..કદાચ કવિતા લખવાનું પાપ એનાથી ધોવાઈ જાય...
વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો હાથ થઈ જાય ચોખ્ખા
બીજુ એ કે, Corporate Worldમાં કે Managementની વાતોમાં જે Core Competencyની વાતો થઈ છે..જે મુજબ કંપનીએ પોતાના Main Business પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ..બહુ દિશાઓમાં પ્રયત્નો કરીને effort dilute ના કરવા જોઇએ...એ વાતને આ શાયરે પોતાની જીંદગીમાં ઉતારી..માત્ર ગઝલનો જ કાવ્ય પ્રકાર ખેડીને..અને એમાં એમણે હાંસલ કરેલી ઉંચાઈઓ તો મારી તમારી નજર સામે જ છે..
ગઝલ એ મનોજ ખંડેરિયા માટે મનોરંજન નહી પણ પ્રાણવાયુ હતી, એની વાત ફરી ક્યારેક..પણ અહીં જે ગઝલ કહેવી છે એ પણ કવિ માટે કવિતાનો શબ્દ કેટલો અગત્યનો છે એની વાત છે..જીવનમાં માણસ સૌથી વધુ મહત્વ લગ્નપ્રસંગો કે પછી તહેવારોને આપતો હોય છે અને એ મહત્વના પ્રસંગોમાં તીલક કે સાથિયા કે પૂજન માટે કંકૂ અને ચોખાની જરુર પડે..પણ આ કવિને તો જુદી રીત રસમો અનુસરવી છે..
રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
આપણે બધા માણસો ઉપર ઉપરથી વ્યવસ્થિત લાગીએ - જાણે કે બાકસના up-to-date ખોખા..પણ કવિએ શેરના ઉલા મિસરામાં (પહેલી લાઈનમાં યાર...) પોલ ખોલી નાખી છે અંદરના માલની!
હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંના જીવન જાણે કે બાકસનાં ખોખાં
સ્વ્પ્નો જોવાની આપણને બધાને ટેવ અને છૂટ...અને એ લીલાછમ પણ હોય છે જ્યાં સુધી એ સ્વ્પ્ન-પાત્ર જીવનનુ મધ્ય કેન્દ્ર હોય છે..પણ એ પાત્રના કાયમી ગમન પછી કે એની શક્યતાઓ સાવ સૂક્કી થઈ જાય તો કદાચ આવો શેર આવે...
લચ્યા'તા જે આંખે લીલા મોલ થઈને
હવે એ જ સપનાં છે સુક્કાં મલોખાં
આ ઈશ્વર નામનો મહા પુરુષ આપવાની વાત આવે ત્યારે અપેક્ષા મુજબની વસ્તુ જ આપે છે પણ એનું સ્વરૂપ બદલી નાખે છે..પણ એ તો એની ટેવ છે..
તું તરસ્યાને આપે છે ચીતરેલાં સરવર
તને ટેવ છે તો કરે કોણ ધોખા
પાપોનું પ્રાયશ્ચિત કરવું હોય કવિને તો..એ કલમમાંથી શબ્દો રૂપી ગંગા વહાવે..કદાચ કવિતા લખવાનું પાપ એનાથી ધોવાઈ જાય...
વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો હાથ થઈ જાય ચોખ્ખા
બુધવાર, ફેબ્રુઆરી 07, 2007
ઉદાસી...
શ્યામ સાધુનું નામ આવે એ સાથે, વીજળીનો ઝબકારો થાય એમ આ એક ગઝલ મગજમાં અચૂક આવે...
કોઇની યાદની ઉદાસી ઉપરનો આટલો સુંદર શેર જવલ્લે જ મળે...
ક્યાંક ઝરણાની ઉદાસી પત્થરોની વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે.
દોસ્ત, મ્રુગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહિંયા તરસ, ત્યાં વાદળી ઉંચે ચડી છે.
આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહો છો એ અહીં ઠેબે ચડી છે.
ઓ નગરજન હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે
કોઇની યાદની ઉદાસી ઉપરનો આટલો સુંદર શેર જવલ્લે જ મળે...
ક્યાંક ઝરણાની ઉદાસી પત્થરોની વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે.
દોસ્ત, મ્રુગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહિંયા તરસ, ત્યાં વાદળી ઉંચે ચડી છે.
આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહો છો એ અહીં ઠેબે ચડી છે.
ઓ નગરજન હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે
શનિવાર, જાન્યુઆરી 27, 2007
માણસ.....
સુરત શહેરને માણસ નામના સામાજીક પ્રાણી સાથે કદાચ કંઈક અજીબ નાતો છે અને 'માણસ' શબ્દ સાથે પણ,
સુરતની બીજી બધી વાતો સાથે ભલે ગાળો મશહૂર હોય પણ ત્યાં એક non abusive zone હોવો જોઇએ અને ત્યાં સુરતના અદભૂત કવિઓ વસે છે! એમાંના એક એટલે શ્રી ભગવતીકુમાર શર્મા..હવે વાતને વધારે શણગાર્યા વગર એમની લખેલી એક મારી પ્રિય ગઝલ....
એક બાજુ એવી વાત છે કે કોઇ પણ માણસની એક જુદી ઓળખાણ અને વ્યક્તિત્વ હોય છે અને દરેક માણસ એક purpose લઈને પૃથ્વી ઉપર આવ્યો હોય છે પણ મોટા ભાગના માણસો આ સમજણ સુધી નહિ પહોંચી શકવાના કારણે ટોળાનો એક અંશ બનીને રહી જાય છે અને બીજી બાજુ એમ પણ વિચારવા જેવુ ખરુ કે ખરેખર આપણે કોણ, એ સવાલ જો સમગ્ર બ્રહ્માંડના પરિપેક્ષમાં વિચારીયે તો આપણી જાત એક તણખલા જેવી અને આપણુ સમગ્ર જીવન યુગોની સાપેક્ષમાં શ્વાસની તુચ્છ ઘટના જેવુ જ લાગે..
અમે આંધી વચ્ચે તણખલાના માણસ,
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ
માણસ વિચારે ચડે કે વાતોએ ચડે ત્યારે સુખની બહુ ઓછી અને દુ:ખની અને સમસ્યાઓની વધારે વાત થાય અને એમાં આપણે જાતે અને ચર્ચામાં ભાગ લેનાર માણસો સિવાયની આખી દુનિયા કેવી રીતે જવાબદાર છે એની પણ વાત થાય..આ આપણી વારસાગત સમસ્યા છે..
ફટાણાના માણસ, મરસિયાના માણસ
અમે વારસાગત સમસ્યાના માણસ
વિચારવાન અને ચિંતન કરનાર લોકોની ઊંઘ ઉડી ગઈ છે અને એ લોકો એક ઉજ્જળ સવારની પ્રતિક્ષામા છે પણ એમના કમનસીબે એ પ્રતિક્ષા સદીઓ સુધીની શાશ્વત પ્રતિક્ષા છે...
'કદી'થી 'સદી'ની અનિદ્રાના માણસ
પ્રભાતોની શાશ્વત પ્રતિક્ષાના માણસ
આજુબાજુમાં રહેલા પાર વગરના માણસો અને સંબંધોને સાચવવામાં આપણે ખુદને જ મળી શકતા નથી..એ લોકો, ટોળાઓ એક એવો રસ્તો બની જાય છે તમારી અને તમારા માંહ્યલા વચ્ચે જેના ઝીબ્રા ક્રોસિંગ પર રસ્તાની બે બાજુએ તમે અને તમારો માંહ્યલો એક બીજાને મળવા માટે ઝૂર્યા જ કરો..ઝૂર્યા જ કરો
અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ
સડકવન્ત ઝીબ્રાતા ટોળાના માણસ
જીંદગી આખી કોઈ ને કોઈ બાબત માટે 'હા-ના'ના નાના-મોટા નિર્ણયો લેવાના જ હોય છે.શું આપણે દરેક Shakespeerનો Hamlet નથી?
શીખર? ખીણ? ધુમ્મસ? સુરજ? કે કશુ નૈ
'To Be-Not To Be'ની 'હા-ના'ના માણસ
આ બધા છતા તમે જો થોડુ અંદર ઉતરીને જુઓ તો આપણે સતત વિકસતા, ઘડાતા રહીએ છે..
ભરત કોઇ ગૂંથતું રહે મોરલાનું
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ
મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે
હતા આપણે મૂળ તડકાના માણસ
સુરતની બીજી બધી વાતો સાથે ભલે ગાળો મશહૂર હોય પણ ત્યાં એક non abusive zone હોવો જોઇએ અને ત્યાં સુરતના અદભૂત કવિઓ વસે છે! એમાંના એક એટલે શ્રી ભગવતીકુમાર શર્મા..હવે વાતને વધારે શણગાર્યા વગર એમની લખેલી એક મારી પ્રિય ગઝલ....
એક બાજુ એવી વાત છે કે કોઇ પણ માણસની એક જુદી ઓળખાણ અને વ્યક્તિત્વ હોય છે અને દરેક માણસ એક purpose લઈને પૃથ્વી ઉપર આવ્યો હોય છે પણ મોટા ભાગના માણસો આ સમજણ સુધી નહિ પહોંચી શકવાના કારણે ટોળાનો એક અંશ બનીને રહી જાય છે અને બીજી બાજુ એમ પણ વિચારવા જેવુ ખરુ કે ખરેખર આપણે કોણ, એ સવાલ જો સમગ્ર બ્રહ્માંડના પરિપેક્ષમાં વિચારીયે તો આપણી જાત એક તણખલા જેવી અને આપણુ સમગ્ર જીવન યુગોની સાપેક્ષમાં શ્વાસની તુચ્છ ઘટના જેવુ જ લાગે..
અમે આંધી વચ્ચે તણખલાના માણસ,
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ
માણસ વિચારે ચડે કે વાતોએ ચડે ત્યારે સુખની બહુ ઓછી અને દુ:ખની અને સમસ્યાઓની વધારે વાત થાય અને એમાં આપણે જાતે અને ચર્ચામાં ભાગ લેનાર માણસો સિવાયની આખી દુનિયા કેવી રીતે જવાબદાર છે એની પણ વાત થાય..આ આપણી વારસાગત સમસ્યા છે..
ફટાણાના માણસ, મરસિયાના માણસ
અમે વારસાગત સમસ્યાના માણસ
વિચારવાન અને ચિંતન કરનાર લોકોની ઊંઘ ઉડી ગઈ છે અને એ લોકો એક ઉજ્જળ સવારની પ્રતિક્ષામા છે પણ એમના કમનસીબે એ પ્રતિક્ષા સદીઓ સુધીની શાશ્વત પ્રતિક્ષા છે...
'કદી'થી 'સદી'ની અનિદ્રાના માણસ
પ્રભાતોની શાશ્વત પ્રતિક્ષાના માણસ
આજુબાજુમાં રહેલા પાર વગરના માણસો અને સંબંધોને સાચવવામાં આપણે ખુદને જ મળી શકતા નથી..એ લોકો, ટોળાઓ એક એવો રસ્તો બની જાય છે તમારી અને તમારા માંહ્યલા વચ્ચે જેના ઝીબ્રા ક્રોસિંગ પર રસ્તાની બે બાજુએ તમે અને તમારો માંહ્યલો એક બીજાને મળવા માટે ઝૂર્યા જ કરો..ઝૂર્યા જ કરો
અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ
સડકવન્ત ઝીબ્રાતા ટોળાના માણસ
જીંદગી આખી કોઈ ને કોઈ બાબત માટે 'હા-ના'ના નાના-મોટા નિર્ણયો લેવાના જ હોય છે.શું આપણે દરેક Shakespeerનો Hamlet નથી?
શીખર? ખીણ? ધુમ્મસ? સુરજ? કે કશુ નૈ
'To Be-Not To Be'ની 'હા-ના'ના માણસ
આ બધા છતા તમે જો થોડુ અંદર ઉતરીને જુઓ તો આપણે સતત વિકસતા, ઘડાતા રહીએ છે..
ભરત કોઇ ગૂંથતું રહે મોરલાનું
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ
મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે
હતા આપણે મૂળ તડકાના માણસ
શનિવાર, જાન્યુઆરી 20, 2007
તારી હથેળીને...
શ્રી તુષાર શુક્લ, જે આકાશવાણીની અમદાવાદ ઓફિસમાં ઉંચા હોદ્દા પર કામ કરે છે, સુગમ સંગીતના કાર્યક્રમોનુ અદભૂત સંચાલન કરે છે, એમની એક all time great રચના જેનુ શ્રી સૌમિલ મુનશીએ ખૂબ સુંદર composition પણ બનાવ્યુ છે.....
તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન
એને રેતીની ડમરીનો ડુમો મળે તો એનો અલ્લાબેલી,
ખજૂરીની છાંયામાં વરસે છે ઝાંઝવા ને વેળૂમાં તરસે છે વ્હાણ,
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ,
તારી હથેળીને રેતી માનીને કોઈ ઊંટોના શોધે મુકામ,
એને કોરીકટ માછલીની જાળો મળે, તો એનો અલ્લાબેલી
કોની હથેળીમાં કોનુ છે સુખ, કોને દરિયો મળે કોને રેતી,
વરતારા મોસમના ભૂલી જઈને એક ઝંખનાને રાખવાની વ્હેતી
તારી હથેળીને માની કિનારો કોઈ લાંગરેને ઉઠે તોફાન
એના ઓસરતી વેળૂમાં પગલા મળે તો એનો અલ્લાબેલી
તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન
એને રેતીની ડમરીનો ડુમો મળે તો એનો અલ્લાબેલી,
ખજૂરીની છાંયામાં વરસે છે ઝાંઝવા ને વેળૂમાં તરસે છે વ્હાણ,
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ,
તારી હથેળીને રેતી માનીને કોઈ ઊંટોના શોધે મુકામ,
એને કોરીકટ માછલીની જાળો મળે, તો એનો અલ્લાબેલી
કોની હથેળીમાં કોનુ છે સુખ, કોને દરિયો મળે કોને રેતી,
વરતારા મોસમના ભૂલી જઈને એક ઝંખનાને રાખવાની વ્હેતી
તારી હથેળીને માની કિનારો કોઈ લાંગરેને ઉઠે તોફાન
એના ઓસરતી વેળૂમાં પગલા મળે તો એનો અલ્લાબેલી
સોમવાર, જાન્યુઆરી 15, 2007
થોડા છોક્કરી ગીતો!!
એવુ ન હતું કે રમેશ પારેખે જ આવા ગીતો Introduce કર્યા, કયા ગીતો! છોક્કરી ગીતો...એવી ઉંમરના યુવક-યુવતીની વાત કે જે હજુ હમણાં સુધી કિશોર-કિશોરી, તરુણ-તરુણી હતા અને હજુ Full-Fledged યુવાન-યુવતી થયા નથી..એ કઈ ઉંમર..જી હા.. એ ઉંમર 16ની...
આવા ગીતો તો એ પહેલા ય હતા..
થાંભલીનો ટેકો ને ઓશરીની કોર,
કણબીની છોકરી એ પાળ્યો છે મોર
મોર ટહૂકા કરે
.....પણ સાહેબ..રમેશ પારેખે એ 16 વર્ષની છોકરી ને છોક્કરી બનાવી અને એના માટે શ્રી મુકુલ ચોકસીએ કહ્યું,
કાનથી સુંઘાય નહીં, તો ય કોઇ કાનમાં રોજ પૂમડું અત્તરનું ખોસે,
એવી રીતે એક છોક્કરીને વર્ષ સત્તરમું બેસે.........
શ્રી રમેશ પારેખે લખેલું મારું પ્રિય છોક્કરી ગીત,
એક છોકકરાએ સીટીનો હિંચકો બનાવીને છોક્કરીને કીધું, લે ઝૂલ,
પછી છોક્કરાએ સપનાનું ખીસ્સુ ફંફોસીને સોનેરી ચોકલેટ કાઢી રે,
ને છોક્કરીની આંખમાંથી સસલીના ટોળાએ ફેંકી ચીઠ્ઠીઓ અષાઢી રે,
સીધ્ધી લીટીનો સાવ છોક્કરો, તે પલળ્યો ને બની ગયો બે-ત્રણ વર્તુળ
છોક્કરીને શું એ તો ઝૂલી, તે એને ઘેર જતા થયું સહેજ મોડું રે,
જે કંઈ થવાનું હતું એ છોક્કરાને થયું, એના સાનભાન ચરી ગયું ઘોડું રે,
બાપાની પેઢીએ બેસીને રોજ-રોજ ચોપડામાં ચીતરતો ફૂલ...
અને for a change..આ વખતે એક મારું છોક્કરી ગીત...
બારી ખોલો તો આકાશે સૂરજ નામે શૂન્ય મળે
સામેની બારી જુઓ તો છોકરી નામે પૂણ્ય મળે
છોકરી ના હોય તો એની બારીમાં જોવાનો મહિમા અપરંપાર છે
છોકરી ને જોવાની માનતામાં છોકરાના કપાળે ચોખા ચાર છે
બારીમાં છોકરીએ સૂક્વ્યો રુમાલ, છોકરાને માટે તો પૂજ્ય મળે
મંદિરમાં છોકરીના પગલાં પડે તો મંદિર આ આખું છલકાય છે,
આજકાલ છોકરાઓ ધાર્મિક થયા કહી પૂજારી મનમાં હરખાય છે
મૂર્તીના દર્શન તો થાય ત્યારે થાય, એને છોકરીના દર્શનથી ધન્ય મળે
બારીમાં આવીને વાળને સંવારવાનો છોકરીનો રોજનો ક્ર્મ,
છોકરીને વાંચવાને વાંચવામાં બગડ્યો, છોકરાનો અભ્યાસક્રમ
છોકરીને વાંચવામાં અવ્વલ નંબર, પછી છોને પરીક્ષામાં શૂન્ય મળે
નોટોની આપ-લેના સરળ કારણસર, છોકરીના ઘેર આંટાફેરા,
છોકરાની કલ્પનાને ફૂટી ગઈ પાંખ, મનમાં એ રોજ ફરે ફેરા
ધારોકે છોકરીનું ક્યાંક બીજે થાય, તો છોકરો નામે નગણ્ય મળે
-2002-03
આવા ગીતો તો એ પહેલા ય હતા..
થાંભલીનો ટેકો ને ઓશરીની કોર,
કણબીની છોકરી એ પાળ્યો છે મોર
મોર ટહૂકા કરે
.....પણ સાહેબ..રમેશ પારેખે એ 16 વર્ષની છોકરી ને છોક્કરી બનાવી અને એના માટે શ્રી મુકુલ ચોકસીએ કહ્યું,
કાનથી સુંઘાય નહીં, તો ય કોઇ કાનમાં રોજ પૂમડું અત્તરનું ખોસે,
એવી રીતે એક છોક્કરીને વર્ષ સત્તરમું બેસે.........
શ્રી રમેશ પારેખે લખેલું મારું પ્રિય છોક્કરી ગીત,
એક છોકકરાએ સીટીનો હિંચકો બનાવીને છોક્કરીને કીધું, લે ઝૂલ,
પછી છોક્કરાએ સપનાનું ખીસ્સુ ફંફોસીને સોનેરી ચોકલેટ કાઢી રે,
ને છોક્કરીની આંખમાંથી સસલીના ટોળાએ ફેંકી ચીઠ્ઠીઓ અષાઢી રે,
સીધ્ધી લીટીનો સાવ છોક્કરો, તે પલળ્યો ને બની ગયો બે-ત્રણ વર્તુળ
છોક્કરીને શું એ તો ઝૂલી, તે એને ઘેર જતા થયું સહેજ મોડું રે,
જે કંઈ થવાનું હતું એ છોક્કરાને થયું, એના સાનભાન ચરી ગયું ઘોડું રે,
બાપાની પેઢીએ બેસીને રોજ-રોજ ચોપડામાં ચીતરતો ફૂલ...
અને for a change..આ વખતે એક મારું છોક્કરી ગીત...
બારી ખોલો તો આકાશે સૂરજ નામે શૂન્ય મળે
સામેની બારી જુઓ તો છોકરી નામે પૂણ્ય મળે
છોકરી ના હોય તો એની બારીમાં જોવાનો મહિમા અપરંપાર છે
છોકરી ને જોવાની માનતામાં છોકરાના કપાળે ચોખા ચાર છે
બારીમાં છોકરીએ સૂક્વ્યો રુમાલ, છોકરાને માટે તો પૂજ્ય મળે
મંદિરમાં છોકરીના પગલાં પડે તો મંદિર આ આખું છલકાય છે,
આજકાલ છોકરાઓ ધાર્મિક થયા કહી પૂજારી મનમાં હરખાય છે
મૂર્તીના દર્શન તો થાય ત્યારે થાય, એને છોકરીના દર્શનથી ધન્ય મળે
બારીમાં આવીને વાળને સંવારવાનો છોકરીનો રોજનો ક્ર્મ,
છોકરીને વાંચવાને વાંચવામાં બગડ્યો, છોકરાનો અભ્યાસક્રમ
છોકરીને વાંચવામાં અવ્વલ નંબર, પછી છોને પરીક્ષામાં શૂન્ય મળે
નોટોની આપ-લેના સરળ કારણસર, છોકરીના ઘેર આંટાફેરા,
છોકરાની કલ્પનાને ફૂટી ગઈ પાંખ, મનમાં એ રોજ ફરે ફેરા
ધારોકે છોકરીનું ક્યાંક બીજે થાય, તો છોકરો નામે નગણ્ય મળે
-2002-03
મંગળવાર, જાન્યુઆરી 09, 2007
મને ખ્યાલ પણ નથી...
ગીતના કવિ અને મોટા ગજાના પત્રકાર શ્રી હરિન્દ્ર દવેની આ અદભૂત ગઝલ ગઈકાલે 'ગ્રંથ માધુર્ય' કાર્યક્રમ અંતર્ગત શ્રી રાજેશ વ્યાસ 'મિસ્કીને' પઠન કરી. શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે આ ગઝલને સુંદર રીતે સ્વરબદ્ધ કરી છે.
આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી
હવે પછીનો શેર...કોઈ જીવનમાંથી જતું રહે અને એને ભૂલી જવાના બળપૂર્વકના બહુ જ પ્રયત્ન કરો..અને એ નિષ્ફળ પ્રયત્નો ઉપર તમારું ધ્યાન એટલું કેન્દ્રિત થઈ જાય કે..એટલું કેન્દ્રિત થાય કે એમાં એ વ્યક્તિને જ ભૂલી જવાય તો! (એ વાત જુદી છે કે સાચે જ જો કવિ એ પ્રિયજનને ભૂલી ગયા હોત તો આ શેર આવત?!)
તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું મને ખ્યાલ પણ નથી
જીભ બહુ શક્તિશાળી હથિયાર છે, એને સારી રીતે વાપરો તો તમને ઘણા ફાયદા થઈ શકે, પણ એમાંથી નીકળેલી થોડીક અવળી વાણી પણ આજીવન મીત્રોને દુશ્મન બનાવી શકે છે....
વાતાવરણમાં ભાર છે મીત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી
અને...જાને ગઝલ શેર...નાનામાં નાનો માણસ..અરે...આપણે દરેક જણ...પોતાના સ્વમાન માટે બહુ જાગ્રુત હોઈએ છીએ અને એવો દાવો કરીએ છીએ કે સ્વમાન બચાવવા આપણે કંઈ પણ ભોગ આપવા તૈયાર છીએ..હવે આ 'કંઈ પણ'નો મનગમતો અર્થ લઈને શાયર કેટલો જાનદાર અને કદાચ આપણા દરેક માટે ક્યારેક ને ક્યારેક સાચો પડતો શેર આપે છે!
મારું સ્વમાન રક્ષવા જાતા કદી કદી,
હું કરગરી ગયો છું મને ખ્યાલ પણ નથી
આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી
હવે પછીનો શેર...કોઈ જીવનમાંથી જતું રહે અને એને ભૂલી જવાના બળપૂર્વકના બહુ જ પ્રયત્ન કરો..અને એ નિષ્ફળ પ્રયત્નો ઉપર તમારું ધ્યાન એટલું કેન્દ્રિત થઈ જાય કે..એટલું કેન્દ્રિત થાય કે એમાં એ વ્યક્તિને જ ભૂલી જવાય તો! (એ વાત જુદી છે કે સાચે જ જો કવિ એ પ્રિયજનને ભૂલી ગયા હોત તો આ શેર આવત?!)
તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું મને ખ્યાલ પણ નથી
જીભ બહુ શક્તિશાળી હથિયાર છે, એને સારી રીતે વાપરો તો તમને ઘણા ફાયદા થઈ શકે, પણ એમાંથી નીકળેલી થોડીક અવળી વાણી પણ આજીવન મીત્રોને દુશ્મન બનાવી શકે છે....
વાતાવરણમાં ભાર છે મીત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી
અને...જાને ગઝલ શેર...નાનામાં નાનો માણસ..અરે...આપણે દરેક જણ...પોતાના સ્વમાન માટે બહુ જાગ્રુત હોઈએ છીએ અને એવો દાવો કરીએ છીએ કે સ્વમાન બચાવવા આપણે કંઈ પણ ભોગ આપવા તૈયાર છીએ..હવે આ 'કંઈ પણ'નો મનગમતો અર્થ લઈને શાયર કેટલો જાનદાર અને કદાચ આપણા દરેક માટે ક્યારેક ને ક્યારેક સાચો પડતો શેર આપે છે!
મારું સ્વમાન રક્ષવા જાતા કદી કદી,
હું કરગરી ગયો છું મને ખ્યાલ પણ નથી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)